વડોદરા,ખંડેરાવ માર્કેટ પાસે ગણેશવાડીમાં રહેતા ૮૫ વર્ષના સીનિઅર સિટિઝનનું અવસાન થતા તેમના પાર્થિવ દેહને મેડિકલ સ્ટુડન્ટના અભ્યાસ માટે ડોનેટ કરવામાં આવ્યો છે.
ગણેશવાડીમાં રહેતા પાનવલકર ફેમિલીના ૮૭ વર્ષના પદ્માકરભાઇ શંકરરાવ પાનવલકર ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. પરિવાર સાથે રહેતા પદ્માકરભાઇ, તેમના પત્નીએ સાથે દેહદાનનો સંકલ્પ કર્યો હતો. તેમણે દેહદાન માટે તમામ કાયદાકીય કાર્યવાહી પણ પૂર્ણ કરી હતી. પત્નીનું વર્ષ - ૨૦૨૪ માં અવસાન થતા તેમનાા પાર્થિવ દેહનું દાન કરાયું હતુ. બે વર્ષ પછી પદ્માકરભાઇનું અવસાન થતા તેમના પાર્થિવ દેહનું પણ મેડિકલ અભ્યાસ માટે બરોડા મેડિકલ કોલેજમાં દાન કરવામાં આવ્યું છે. આ અગાઉ પદ્માકરભાઇના મોટાભાઇનું વર્ષ - ૨૦૧૦ માં અવસાન થતા તેમના પાર્થિવ દેહનું પણ દાન કરાયું હતું. એક જ ફેમિલીમાંથી આ ત્રીજું દેહદાન છે.


