Get The App

જામનગરમાં ભુજીયા કોઠાનું કામ પૂર્ણ : ગુરુવારથી લોકો માટે ખુલ્લો મુકાશે

Updated: Mar 18th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરમાં ભુજીયા કોઠાનું કામ પૂર્ણ : ગુરુવારથી લોકો માટે ખુલ્લો મુકાશે 1 - image

Jamnagar : જામનગરના જાજરમાન ભુજીયા કોઠાનું કંઝરવેશન, રેટોરેશન કન્સોલિડેશન તથા રી-પ્રોડક્શનનું કામ પૂર્ણ થતાં ગુરૂવારથી લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે.

શહેરની શાન સમાન એવા રણમલ તળાવ પાસે ઈ.સ.1840 માં દુષ્કાળ રાહત કામગીરી માટે આ ગોળ બાંધણી ધરાવતા કલાત્મક અને આકર્ષક ભુજીયા કોઠાનું સંગીન બાંધકામ કરાવામા આવ્યું હતું. જેનો ઉપયોગ વોચ ટાવર તથા શસ્ત્રાગાર તરીકે થતો હતો, તેમજ તેનુ બાંધકામનું કામ ઈ.સ. 1839 થી 1852 એટલે કે 14 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. તથા 174 વર્ષ પહેલા સૌરાષ્ટ્રમાં સૌથી ઉંચી ઈમારત (સ્કાય સ્કેપર) કહેવાતી હતી, જેનું કંઝર્વેશન, રેસ્ટોરેશન, કન્સોલિડેશન અને રી-પ્રોડકશનનુ કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. તેમજ આ રક્ષિત સ્મારકને સહેલાણીઓને નિહાળવા માટે તા.19/03/2026 ના રોજ ગુરૂવારથી ખુલ્લું મુકવામાં આવશે. તેમજ સહેલાણીઓને આ ભુજીયા કોઠા રક્ષિત સ્મારકની ઉંચાઈ તેમજ તેની બાંધકામ શૈલીને ધ્યાને લઇ અકસ્માત નિવારવા તેમજ સલામતીના ભાગરૂપે આ ઈમારતના પ્રથમ બે માળ માટે 50 વ્યક્તિ તથા ઉપરના ત્રણ માળ માટે 25 વ્યક્તિને વારાફરતી ઉપર નિહાળવા જવા દેવામાં આવશે. જેમાં જામનગરના તથા બહારથી આવતા સહેલાણીઓને આ ભુજીયા કોઠા રક્ષિત સ્મારકને નિહાળવા આ નિયમનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. જામનગર મહાનગરપલીકા તંત્રને સાથ સહકાર આપવા જણાવાયું છે.