Gujarat

કોરાનાના કેસ વધતા સિવિલ ખાતે ડોક્ટર અને નર્સિંગ ટ્રેનિંગ શરૃ કરાઇ

By GS Team
23 Dec 20211 min read
This article was originally published on 23 Dec 2021
કોરાનાના કેસ વધતા સિવિલ ખાતે ડોક્ટર અને નર્સિંગ ટ્રેનિંગ શરૃ કરાઇ

- ગ્રામ્ય વિસ્તારના પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રનાં મેડિકલ ઓફિસર અને નર્સિંગ સ્ટાફને ટ્રેનિંગ અપાઇ

 સુરત, :

સુરત સહિત ગુજરાતમાં ઓમિક્રોન અને વધતા જતા કોરોનાના કેસના લીધે સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં મેડિકલ ઓફિસર અને નસગ સ્ટાફને નવી સિવિલ હોસ્પિટલ ખાતે વિવિધ વિભાગના સિનિયર ડોક્ટરો દ્વારા ટ્રેનિંગ આપવાનું શરૃ કરાયુ છે.

ગ્રામ્ય વિસ્તારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામુહિક આરોગ્ય કેન્દ્ર મેડિકલ ઓફિસર અને નસગ સ્ટાફને સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે તા. ૨૦ અને ૨૧મીએ  ટ્રેનિંગ અપાઇ હતી. આગામી દિવસમાં પણ ટ્રેનિંગ આપવામાં આવશે. સિવિલના મેડિસિન વિભાગના ડો. અશ્વિન વસાવા, માઇક્રોબાયોલોજીના ડો. તન્વી પાનવાલા, બાળકો વિભાગના ડો.જીગીશા પાટોડીયા તથા ડો.આદિત્ય, એનેસ્થેસિયા,ગાયનેક, ફિઝીયોથેરાપી વિભાગના સિનિયર ડોકટરો દ્વારા લેક્ચર અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જેમાં કોરોના પોઝિટિવ દર્દીને તકલીફ પ્રમાણે કઈ રીતે ઓક્સિજન આપવું, પી. એસ. સી અને સી. એચ. સી માંથી મોટી હોસ્પિટલમાં કઈ રીતે રીફર કરવું, રીફર કરતી વખતે શું કરવું, વેન્ટિલેટર પર રાખવામાં આવેલા દર્દીઓનુ મોનિટર પર અપડેટ, ગંભીર હાલતમાં સારવાર અને દવા કઈ રીતે કેટલો ડોઝ આપવોદર્દી દાખલ થાય ત્યારે કયા રિપોર્ટ કરાવવા તથા કઈ રીતે સેમ્પલ લેવુ, કઈ રીતે લેબોરેટરીમાં મોકલવો વગેરે વિશે  સિનિયર ડોક્ટર દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.