ખેડબ્રહ્માના અંબિકા માતાજી મંદિરે કારતકી પૂર્ણિમાંએ અન્નકૂટ ધરાવાશે

ખેડબ્રહ્મા,
તા. 15
ખેડબ્રહ્મા ખાતે આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબિકા માતાજી મંદિરે
કારતકી પુનમે છપન્ન ભોગ અન્નકુટ ધરાવવામાં આવશે. તેમજ કારતકી પુનમનું મહત્વ ખુબ જ હોવાથી
ભક્તો મોટી સંખ્યામાં ગુજરાતભરમાંથી આવશે.
ખેડબ્રહ્મા ખાતે આવેલ પૌરાણીક મા આદ્યશક્તિ મંદિરમાં કારતકી
સુદ પુનમ ના દર્શન કરવાનું ખુબ જ મહત્વ છે. ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટ
ના મેનેજર ઘનશ્યામસિંહ રહેવરે જણાવ્યું છે કે, ગત વર્ષે કોરોના કારણે મેળો બંધ રહ્યો હતો. તેમજ અન્નકુટ પણ
ધરાવવામાં આવ્યો નહોતો. આ વર્ષે શુક્રવારના રોજ તા. ૧૯/૧૧/૨૦૨૧ ના રોજ મા ના સન્નમુખ
છપન્ન ભોગનો અન્નકુટ ધરાવવામાં આવશે.
અન્નકુટના દર્શન ૧ઃ૧૫ કલાક સુધી થઇ શકશે. સવારની આરતી ૬ઃ૩૦ કલાકે
રહેશે. તેમજ સાંજની આરતી ૭ કલાકે થશે. કારતકી પુનમનું મહત્વ ખુબ જ હોવાથી ગુજરાતભરમાંથી
લોકો આગલી રાતથી જ આવી જાય છે. યાત્રીકોને કોઇ અસુવિધા ઉભી ન થાય તે માટે વ્યવસ્થા
કરવામાં આવી ચે. તેમજ કોઇ અનઇચ્છનીય બનાવ ન બને તે માટે સિક્યુરીટી ગાર્ડ અને પોલીસની
વ્યવસ્થા કરવામાં આવી છે. ચિખલા રોડ ઉપર આવેલ નવીન દરવાજામાં પણ વાહનોની અવરજવર માટે
વ્યવસ્થા કરવામાં આવી છે.




