Get The App

આણંદ: મહીસાગર નદીમાં નહાવા પડેલા વેટરનરી કોલેજના 4 વિદ્યાર્થીઓ ડૂબ્યા, બેના કરૂણ મોત

Updated: Apr 5th, 2026

GS TEAM

Google News
Google News
Mahisagar River Students Drowning


Mahisagar River Students Drowning: આણંદ જિલ્લાના ખરેડા ગામ નજીક વહેતી મહીસાગર નદીમાં રવિવારે(5 એપ્રિલ) એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આણંદની વેટરનરી કોલેજમાં અભ્યાસ કરતા ચાર મિત્રો રજાના દિવસે મહીસાગર નદીમાં નહાવા માટે ગયા હતા. નહાતી વખતે પાણીના પ્રવાહનો અંદાજ ન આવતા ચારેય યુવાનો નદીમાં ડૂબવા લાગ્યા હતા. આ સમયે આસપાસના સ્થાનિકોની નજર પડતા તેઓ તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા.

મહીસાગર નદીમાં નહાવા પડેલા વેટરનરી કોલેજના 4 વિદ્યાર્થીઓ ડૂબ્યા

સ્થાનિક તરવૈયાઓએ ભારે જહેમત બાદ બે યુવાનોને સુરક્ષિત રીતે બહાર કાઢી બચાવી લીધા હતા, પરંતુ અન્ય બે યુવાનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. શોધખોળ બાદ ડૂબી ગયેલા બંને યુવકોના મૃતદેહ મળી આવ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ, મૃતક યુવાનો આણંદની વેટરનરી કોલેજમાં અભ્યાસ કરતા હોવાનું સામે આવ્યું છે. 

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર, 8 મનપા માટે 243 ઉમેદવારોને ટિકિટ, નયનાબા જાડેજા મેદાનમાં

આ ઘટનાને પગલે કોલેજ કેમ્પસ અને વિદ્યાર્થીઓના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સ્થાનિક પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.