Get The App

અંબાજી મંદિરની પોતાની મોબાઈલ એપ લોન્ચ: પ્રસાદ બુકિંગ, દાન અને દર્શનના સમયની વિગતો આંગળીના ટેરવે મળશે

Updated: Mar 11th, 2026

GS TEAM

Google News
Google News
અંબાજી મંદિરની પોતાની મોબાઈલ એપ લોન્ચ: પ્રસાદ બુકિંગ, દાન અને દર્શનના સમયની વિગતો આંગળીના ટેરવે મળશે 1 - image


Ambaji Temple Launches Official Mobile App: વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે 'શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ' દ્વારા સત્તાવાર મોબાઈલ એપ્લિકેશન કાર્યરત કરવામાં આવી છે. બનાસકાંઠા કલેક્ટર અને ટ્રસ્ટના ચેરમેન દ્વારા આ એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. હવે ભક્તો ઘરબેઠા મંદિરની વિવિધ સેવાઓ અને માહિતી મેળવી શકશે.

એપમાં મળતી મુખ્ય સુવિધાઓ

Ambaji Temple Official એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર (play.google.com) અને એપલ એપ સ્ટોર પર નિઃશુલ્ક ઉપલબ્ધ છે. જેમાં ભક્તો ઓનલાઇન ઘરે બેઠા મોહનથાળ પ્રસાદનું બુકિંગ કરાવી શકશે. જનરલ ડોનેશન, સુવર્ણ શિખર દાન અને ભોજનાલય માટે દાન આપવાની સુવિધા છે. એટલે કે ભક્તો ડિજિટલ દાન કરી શકશે. 

અંબાજી મંદિરની પોતાની મોબાઈલ એપ લોન્ચ: પ્રસાદ બુકિંગ, દાન અને દર્શનના સમયની વિગતો આંગળીના ટેરવે મળશે 2 - image

આ સાથે તેમાં મંદિરના દર્શન અને આરતીનો સમય પણ જાણી શકાશે. તો મંદિર સંબંધિત વસ્તુઓની ખરીદી માટે પણ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકાશે. ભાદરવી પૂનમના મેળા દરમિયાન પદયાત્રી સંઘો અને સેવા કેમ્પનું ઓનલાઇન રજીસ્ટ્રેશનની સુવિધા પણ મળશે.

આ પણ વાંચો: ચૈત્રી નવરાત્રિ 2026: 19 માર્ચથી થશે શક્તિની આરાધનાનો પ્રારંભ, જાણો ઘટસ્થાપનથી રામનવમી સુધીની સંપૂર્ણ વિગતો

વહીવટમાં પારદર્શિતા વધશે

અંબાજી મંદિરમાં દર વર્ષે અંદાજે 1.20 કરોડ મોહનથાળ પ્રસાદના પેકેટનું વિતરણ થાય છે અને કરોડોનું દાન આવે છે. આ તમામ પ્રક્રિયાને સેન્ટ્રલાઈઝ્ડ સર્વર સાથે જોડવા માટે આ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. ટેકનોલોજીના ઉપયોગથી વ્યવસ્થા વધુ સુગમ બનશે અને વહીવટી પારદર્શિતામાં વધારો થશે.

ખાસ વાત એ છે કે, આ એપ્લિકેશન એક માઈભક્ત દ્વારા નિઃશુલ્ક તૈયાર કરી આપવામાં આવી છે. આગામી સમયમાં યાત્રિકો માટે આ એપ દર્શન અને વ્યવસ્થાના આયોજનમાં ખૂબ ઉપયોગી સાબિત થશે.