ચંદ્રગ્રહણને પગલે અંબાજી મંદિરના દર્શન-આરતીના સમયમાં ફેરફાર, હોળી એક દિવસ વહેલી પ્રગટાવાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ambaji Temple Timings Update: યાત્રાધામ અંબાજીમાં હોળી-પૂનમના પર્વ પર આ વખતે ચંદ્રગ્રહણનું સાયણ હોવાથી મંદિરના સમયમાં મહત્ત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. જ્યોતિષીય ગણતરી મુજબ પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાને કારણે અંબાજી ખાતે પરંપરાગત હોળી એક દિવસ વહેલી પ્રગટાવવામાં આવશે.
આ પણ વાંચો: અમદાવાદ: નગર યાત્રામાં ભારે ભીડ વચ્ચે મહિલાની સોનાની ચેઇન ચોરાઇ, ફરિયાદ દાખલ
ગ્રહણના વેધ અને સુતકને ધ્યાનમાં રાખીને પૂનમના દિવસે મંદિરના દર્શન અને આરતીના સમયમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત ગ્રહણના સમયગાળા દરમિયાન મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. શ્રદ્ધાળુઓને કોઈ હાલાકી ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા નવા સમયપત્રકની જાહેરાત કરવામાં આવી છે.









