Gujarat

અમદાવાદ મનપા ચૂંટણી માટે કોંગ્રેસના 15 કમિટમેન્ટ, પ્રોપર્ટી ટેક્સ 5 ટકા, મહિલા-વિદ્યાર્થીઓને AMTSમાં ફ્રી મુસાફરી

By GS TEAM
6 Apr 20263 mins read
TukuTouch Logo
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષે પોતાનો ચૂંટણી ઢંઢેરો (Manifesto) સત્તાવાર રીતે જાહેર કર્યો છે. ‘કમિટમેન્ટ’ સાથે જાહેર કરાયેલા આ મેનિફેસ્ટોમાં શિક્ષણ, આરોગ્ય, અને ટેક્સના માળખામાં મોટા ફેરફારો કરવાનું વચન અપાયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસનું સાશન આવ્યા બાદ 20થી વધુ વાયદા પૂરા કરવાની જાહેરાત કરવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ મનપા ચૂંટણી માટે કોંગ્રેસના 15 કમિટમેન્ટ, પ્રોપર્ટી ટેક્સ 5 ટકા, મહિલા-વિદ્યાર્થીઓને AMTSમાં ફ્રી મુસાફરી

Ahmedabad Municipal Corporation elections: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષે પોતાનો ચૂંટણી ઢંઢેરો (Manifesto) સત્તાવાર રીતે જાહેર કર્યો છે. ‘કમિટમેન્ટ’ સાથે જાહેર કરાયેલા આ મેનિફેસ્ટોમાં શિક્ષણ, આરોગ્ય, અને ટેક્સના માળખામાં મોટા ફેરફારો કરવાનું વચન અપાયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસનું સાશન આવ્યા બાદ 15થી વધુ વાયદા પૂરા કરવાની જાહેરાત કરવામાં આવી છે.

આર્થિક રાહત: પ્રોપર્ટી ટેક્સમાં ધરખમ ઘટાડો

• મેનિફેસ્ટોમાં સૌથી મોટું આકર્ષણ ટેક્સમાં ઘટાડો છે. કોંગ્રેસે વચન આપ્યું છે કે જો તેઓ સત્તા પર આવશે, તો પ્રોપર્ટી ટેક્સનો દર 18 ટકાથી ઘટાડીને સીધો 5 ટકા કરી દેવામાં આવશે. આ નિર્ણયથી સામાન્ય પરિવારો પરથી આર્થિક બોજ ઓછો થશે.

• ટેક્સમાં રાહત: આ કમાણીનો ઉપયોગ નાગરિકો પ્રોપર્ટી ટેક્સ કે કોર્પોરેશનની અન્ય સુવિધાઓની ફી ભરવા માટે કરી શકશે.

આરોગ્ય અને શિક્ષણમાં ‘હાઇટેક’ સુધારો

• હેલ્થ સેન્ટર: અમદાવાદના દરેક વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટરની સુવિધા સુદૃઢ કરવામાં આવશે. વધુમાં, સામાન્ય જનતા માટે વિવિધ મેડિકલ ટેસ્ટ નિઃશુલ્ક (ફ્રી) કરી આપવાનું વચન અપાયું છે.

• સરકારી શાળાઓ: ખાનગી શાળાઓની ટક્કર લે તેવી હાઇટેક સરકારી શાળાઓ બનાવવામાં આવશે, જેથી ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ મળી શકે.

• સરદાર પટેલ પ્રાથમિક શાળા: ધોરણ 12 સુધીના દરેક બોર્ડ(GSEB/CBSE)માં કોર્પોરેશન સંચાલિત શાળાઓ શરૂ કરાશે.

• તિરંગા અર્બન હેલ્થ સેન્ટર: દરેક વોર્ડમાં જરૂરિયાત મુજબ એકથી વધુ 'તિરંગા હેલ્થ સેન્ટર' બનશે, જ્યાં નિદાન અને સારવારની પાયાની સુવિધા મળશે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રસ્તાઓની ગુણવત્તા

• મજબૂત રસ્તા: દર વર્ષે ચોમાસામાં તૂટી જતાં રસ્તાઓની સમસ્યાનો અંત લાવવા માટે 'ના ઘસાય ના તૂટે' તેવા મજબૂત રસ્તા બનાવવાની ખાતરી આપી છે.

• જનતા ઓડિટ કમિટી: રસ્તાના કામમાં થતા ભ્રષ્ટાચારને રોકવા માટે એક નવી 'જનતા ઓડિટ કમિટી' બનાવવામાં આવશે, જે રસ્તાની ગુણવત્તાની સીધી ચકાસણી કરશે.

રોજગાર અને રમતગમત

• કાયમી ભરતી: કોર્પોરેશનમાં લાંબા સમયથી ખાલી પડેલી 11,687 જેટલી જગ્યાઓ પર કાયમી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

• સ્પોર્ટ્સ: રમતગમતના પ્રોત્સાહન માટે શહેરમાં 'નેતાજી સુભાષચંદ્ર બોઝ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ'નું નિર્માણ કરવામાં આવશે.

પર્યાવરણ અને આવાસ

• સાબરમતી શુદ્ધિકરણ: પ્રદૂષિત થયેલી સાબરમતી નદીને સંપૂર્ણપણે શુદ્ધ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

• કાર્બન ક્રેડિટ દ્વારા કમાણી: જે રહેણાંક સોસાયટીઓ અને શહેરીજનો સફાઈ જાળવશે, તેમને 'કાર્બન ક્રેડિટ' આપવામાં આવશે.

• પીવાનું પાણી: વિદેશની જેમ દરેક નાગરિકને નળ વાટે શુદ્ધ પીવાનું જળ પૂરું પાડવાની કટિબદ્ધતા દર્શાવી છે.

• AQI લક્ષ્યાંક: અમદાવાદને માત્ર એક જ વર્ષમાં દેશના ટોપ-5 સૌથી સ્વચ્છ હવા (AQI) ધરાવતા શહેરોની યાદીમાં લાવવાનું લક્ષ્ય છે.

• આવાસ નીતિ: મકાનો તોડવાની (ડીમોલેશન) પ્રક્રિયા પહેલાં અસરગ્રસ્તોને 'પહેલા ઘરનું ઘર' આપીને પુનઃવસન કરવાની નીતિ અપનાવાશે.

ડિજિટલ સુરક્ષા: દેશનું પ્રથમ 'ફાયરવોલ' શહેર

• અમદાવાદને હેકર્સ, સ્કેમર્સ અને સ્પામર્સથી સુરક્ષિત રાખવા માટે કોંગ્રેસે 'ડિજિટલ ફાયરવોલ' બનાવવાનું વચન આપ્યું છે. આ સાથે જ,

• કોર્પોરેશનની લાઇબ્રેરીઓમાં વિદ્યાર્થીઓ માટે હાઇ-સ્પીડ ઇન્ટરનેટ સાથેના કમ્પ્યુટર્સની સુવિધા અપાશે.

પરિવહન અને ટ્રાફિક વ્યવસ્થા

• AMTSમાં મફત મુસાફરી: મહિલાઓ અને વિદ્યાર્થીઓ માટે AMTS બસમાં ફ્રી પાસ આપવામાં આવશે.

• AC બસ સેવા: અમદાવાદની તમામ AMTS બસોને AC (એર કન્ડિશન્ડ) બનાવવાનું વચન છે.

• ટ્રાફિક ઉકેલ: લોજિકલ સર્વેના આધારે નવા ફ્લાય ઓવર બનશે અને જૂના રસ્તાઓને જનતાની સહમતિથી પહોળા કરવામાં આવશે.

સ્ટ્રીટ વેન્ડર્સ અને નાના વેપારીઓનું રક્ષણ

• સ્માર્ટ કાર્ડ: તમામ લારી-ગલ્લા અને ફેરિયાઓનો સર્વે કરી તેમને 'સ્ટ્રીટ વેન્ડર્સ ઍક્ટ 2014' મુજબ સ્માર્ટ કાર્ડ અપાશે, જેથી તેમને કાયદેસરનું રક્ષણ મળે અને હેરાનગતિ બંધ થાય.

જન સુનાવણી અને વહીવટી પારદર્શિતા

• નાગરિકોના રોજિંદા પ્રશ્નોના નિકાલ માટે દર અઠવાડિયે 'વૉર્ડ સુનાવણી' કાર્યક્રમ યોજાશે, જ્યાં સ્થળ પર જ સમસ્યાઓનું સમાધાન લાવવાનો પ્રયાસ કરાશે.