Gujarat
વડોદરા: સુરસાગરનું બ્યુટીફીકેશન કરનાર શિવાલય કન્સ્ટ્રકશન દ્વારા અદ્યતન પક્ષીઘર તૈયાર
By GS Team
14 Nov 20211 min read
This article was originally published on 14 Nov 2021

વડોદરા, તા. 14 નવેમ્બર 2021 રવિવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની મધ્યમાં આવેલા સુરસાગર તળાવ બ્યુટીફિકેશન અને શહેરમાં દાંડિયા બજાર બ્રિજ ઉપર સોલાર સિસ્ટમથી વીજ ઉત્પાદન તથા સ્માર્ટ રોડ બનાવવાની કામગીરી કરનાર શિવાલય કન્સ્ટ્રકશન દ્વારા હાલમાં જે પક્ષી ઘર બનાવવામાં આવી રહ્યું છે તે ખૂબ જ અધ્યતન છે અને તેની ડિઝાઇન વિદેશના પક્ષીઘર જેવી જ બનાવવામાં આવી છે જેમાં પર્યટકો પક્ષીઓને અને ખુલ્લામાં ઝાડ પર બેઠેલા નિહાળી શકશે તેમજ પક્ષીઓને પણ જંગલ જેવું જ વાતાવરણ મળી રહે તેવું આયોજન કર્યું છે.




