સંત તુલસીદાસ પરથી રામબોલા નામની એકસાથે બે ફિલ્મ જાહેર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈ : બોલિવુડમાં એક વિચિત્ર સંયોગ રુપે સંત તુલસીદાસનાં જીવન પરની 'રામબોલા' નામની બે-બે ફિલ્મોની એકસાથે જાહેરાત કરવામાં આવી હતી. તેને પગલે બંને ફિલ્મોના સર્જકો વચ્ચે કાનૂની વિવાદ છેડાઈ શકે છે.
તાજેતરમાં સુપર હિટ થયેલી 'હનુમાન અંશ' ફિલ્મના દિગ્દર્શક વિશાલ ચતુર્વેદીએ પોતે ભારતીય સંત પરંપરાનું મહિમા ગાન કરતી વધુ એક ફિલ્મ રુપે 'રામબોલા'ની જાહેરાત કરી હતી.
લગભગ આ જ સમયગાળામાં પ્રાચીન વિષયોને ફિલ્માવવાની હથોટી ધરાવતા ડિરેક્ટર ડો. ચંદ્ર પ્રકાશ દ્વિવેદીએ પણ સંત તુલસીદાસ પર 'રામબોલા' ફિલ્મ એનાઉન્સ કરી હતી.
ડો. દ્વિવેદીએ વિશાલ ચતુર્વેદીની જાહેરાત સામે વાંધો લેતાં કહ્યું હતું કે પોતે આ ફિલ્મ લાંબા સમયથી પ્લાન કરી રહ્યાનું સૌ જાણે છે. વિશાલ ચતુર્વેદીની ફિલ્મના નિર્માતાઓ સાથે પણ પોતે એક તબક્કે આ પ્રોજેક્ટની ચર્ચા કરી ચૂક્યા છે.




