પાળિયાદ પોલીસ મથકમાં ગુનો નોંધાયો
સુરતથી પાળિયાદ રહેવા આવી ગયો હોવાની દાઝે અન્ય કિન્નરોએ હુમલો કર્યો
ભાવનગર - પાળીયાદમાં રહેતા કિન્નર અગાઉ કિન્નરો સાથે સુરત રહેતો હોય અને હાલ કિન્નર પાળીયાદ ખાતે રહેવા આવી જતા સુરતના કિન્નરોને પસંદ નહીં આવતા પાંચ કિન્નર અને એક કાર ડ્રાઈવર કાર લઈને પાળીયાદ ધસી આવ્યા હતા.અને કિન્નરને પાઇપ અને ઢીંકા પાટુંનો માર મારી બળજબરીથી કારમાં બેસાડી સોના ચાંદીના ઘરેણા અને રોકડ રકમની લૂંટ ચલાવી ધમકી આપી કારમાંથી ફેંકી નાસી છૂટયા હતા.
પાળીયાદ ખાતે રહેતા મુરાદે દિવ્યાદે એ એક વર્ષ પહેલા નૂતનકુવર (રહે.સુરત) સાથે રહેતા હતા અને છેલ્લા એક વર્ષથી પાળીયાદ ખાતે રહેતા હોય જે નૂતનકુવરને ગમતી વાત નહોય જેની દાજ રાખી નૂતનકુવર, ટીનાકુવર, રીટાકુવર, શબનમકુંવર, રાખીકુંવર અને અજાણ્યું એક એ એક સંપ કરી સુરતથી કારમાં પાળીયાદ આવી મુરાદે દિવ્યાદેને ગાળો આપી લોખંડના પાઇપ અને ઢીંકા પાટુંનો મારી મારી બળજબરીથી કારમાં બેસાડી મુરાદે દિવ્યાદેએ કાનમાં પહેરેલ સોનાનો સોય દોરો રૃ.૨૨ હજાર અને રોકડા રૃ.૧૭૦૦ તથા ચાંદીની કંઠી રૃ.૪૦૦૦ની લૂંટ ચલાવી અને ઢીંકા પાટુંનો માર મારી કારમાંથી નીચે ફેંકી નાસી છૂટયા હતા. દરમિયાનમાં મુરાદે દિવ્યાદેને ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ સંદર્ભે મુરાદે દિવ્યાદેએ છ લોકો વિરૃધ્ધ પાળીયાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


