Get The App

રાણપુરની કિનારા ચોકડી નજીક ગોઝારો અકસ્માત, ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ, 3ના મોત

Updated: Feb 1st, 2026

GS TEAM

Google News
Google News
રાણપુરની કિનારા ચોકડી નજીક ગોઝારો અકસ્માત, ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ, 3ના મોત 1 - image


Botad Ranpur Accident news : બોટાદથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં રાણપુરની કિનારા ચોકડી પર એક ટ્રકની અડફેટે ઈકો કારનો કચ્ચરઘાણ વળી જતાં 3 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્ય હતા. આ અકસ્માતમાં અન્ય 4 લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી રહી છે. 

મોડી રાતે સર્જાયો ગમખ્વાર અકસ્માત 

આ અકસ્માતની જાણકારી મળતાં જ મામલતદાર સહિત પોલીસ કાફલો અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે ધસી આવી હતી અને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ભયાનક અકસ્માતને પગલે મોટો ટ્રાફિક જામ સર્જાયો હતો. આ ઈકો કાર જેનો નંબર  MP 09 DK 4398 હોવાની જાણકારી મળી રહી છે તે મધ્યપ્રદેશના પનાલા ગામથી રાણપુરના કુંડળી ગામે આવી રહી હતી. આ કારમાં સવાર ખેતશ્રમિકો હોવાની માહિતી છે. આ મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે.