Gujarat

ગુજરાતમાં કોરોનાનાં વળતાં પાણી નવા 16, 617 કેસ, 19 મોત

By GS Team
23 Jan 20222 mins read
This article was originally published on 23 Jan 2022
ગુજરાતમાં કોરોનાનાં વળતાં પાણી  નવા 16, 617 કેસ, 19 મોત

સતત ત્રીજા દિવસે કેસોમાં ઘટાડો યથાવત્

અમદાવાદમાં 6277, વડોદરામાં 3655, સુરતમાં 2151, રાજકોટમાં 621 કેસ : હજુ પણ 1,34,837 દર્દી સારવાર હેઠળ

અમદાવાદ : ગુજરાતમાં ગત ત્રણ દિવસોના કોરોના કેસોના આંકડા જોડા લાગી રહ્યું છે કે કોરોનાના કેસો હવે ઘટાડા તરફ છે. ગત 24 કલાકમાં રાજ્યમાં નવાં 16,617 કેસ અને મ19 મોત નોંધાયા છે.

ગત 20મી જાન્યુઆરીએ અત્યાર સુધીના સૌથી વધુ 24,485 કેસ નોંધાયા બાદથી સતત કેસોમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. આજે અમદાવાદમાં 6277, વડોદરામાં 3655, સુરતમાં 2151, રાજકોટમાં 621 કોરોનાનાં કેસ નોંધાયા છે.

નવાં 16,617 કેસ સામે 11, 636 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવતા એક્ટિવ કેસોનો આંક 1,34,837 થયો છે. જેમાંથી 258 દર્દી  વેન્ટિલેટર પર અને 1,34,579 દર્દી સ્ટેબલ છે.

આજે અમદાવાદમાં 6277, વડોદરામાં 3655, સુરતમાં 2151, રાજકોટમાં 621, ગાંધીનગરમાં 601, ભાવનગરમાં 428, જામનગરમાં 180, જૂનાગઢમાં 117, આણંદમાં 291, ભરૂચમાં 269, મહેસાણામાં 266, વલસાડમાં 246, પાટણમાં 213, અમરેલીમાં 175,કચ્છમાં 175, નવસારીમાં 154, બનાસકાંઠામાં 107, ખેડામાં 105, મોરબીમાં 102, સુરેન્દ્રનગરમાં 72, દેવભૂમિકા દ્વારકામાં 63 કેસ નોંધાયા છે.

આ સિવાયના 12 જિલ્લાઓમાં 50થી ઓછાં કેસ નોંધાયા છે. ગત 24 કલાકમાં અમદાવાદમાં 6, સુરતમાં 4, ભાવનગરમાં 1, મહેસાણામાં 1, વલસાડમાં 3, નવસારીમાં 1, બનસાકાંઠામાં 2, દાહોદમાં 1 એમ કુલ 19 દર્દીઓના કોરોના કારણે મૃત્યુ થયા છે અને રાજ્યનો કુલ મૃત્યુઆંક  10,249 થયો છે.

હાલની પરિસસ્થિતિએ રાજ્યમાં 1,34,837 કેસ એક્ટિવ છે, જે પૈકી 258 કેસ વેન્ટિલેટર પર અને 1,34,579 કેસ સ્ટેબલ છે. નવાં 16,617 કેસ સામે આજે 11,636 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે રાજ્યનો કુલ ડિસ્ચાર્જનો આંક 9,17,469 થયો છે.

આજે રસીના કુલ 1,16,936 ડોઝ આપવામાં આવ્યા હતા. જે પૈકી સૌથી વધુ 52,561 ડોઝ 18થી 45 વર્ષના લોકોને રસીના બીજા ડોઝ તરીકે આપવામાં આવ્યા છે અને 17,424 ડોઝ પ્રિકોશન ડોઝ તરીકે આપવામાં આવ્યા છે. રાજ્યનો હાલનો રિકવરી રેટ 86.35 ટકા છે.