Gujarat

આણંદ અને વિદ્યાનગરમાંથી 10 રખડતા પશુઓ પાંજરે પૂરાયા

By GS Team
20 Aug 20251 min read
This article was originally published on 20 Aug 2025
આણંદ અને વિદ્યાનગરમાંથી 10 રખડતા પશુઓ પાંજરે પૂરાયા

- કરમસદ- આણંદ મનપાની ટીમ દ્વારા 

- ઓગસ્ટ મહિનામાં 176 પશુઓ પકડાયા : રખડતા પશુના માલિકો વિરૂદ્ધ કાર્યવાહીની ચિમકી

આણંદ : કરમસદ- આણંદ મનપાની ટીમે આણંદ અને વિદ્યાનગરમાંથી ૧૦ પશુઓને આજે પકડી પાંજરાપોળમાં મોકલી આપ્યા છે. ઓગસ્ટ મહિના દરમિયાન ૧૭૬ પશુઓ પાંજરે પુરાયા છે. 

કરમસદ- આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા ઓગસ્ટ માસ દરમિયાન મનપા વિસ્તારમાંથી ૧૭૬ જેટલા પશુઓને પકડીને પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા છે, જેમાં આજે આણંદના મંગળપુરા વિસ્તાર અને વિદ્યાનગર શહેરી વિસ્તારમાંથી ૧૦ પશુઓને પકડીને પાંજરાપોળ ખાતે મોકલવામાં આવ્યા છે.

મહાનગરપાલિકા દ્વારા પશુપાલકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે, જાહેર રસ્તાઓ ઉપર ફરતા પશુઓને કારણે આમ જનતાને તકલીફ સહન કરવી પડતી હોય છે, તેથી પશુપાલકો પોતાના પશુઓને યોગ્ય જગ્યાએ રાખે તે જરૂરી હોવાથી જાહેર રસ્તા પર પશુઓને ન જવા દેવા માટે જણાવવામાં આવે છે. અન્યથા જાહેર રસ્તા પર રખડતા પશુઓને મનપાની ટીમ દ્વારા પકડીને પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવશે. 

આવા પશુપાલકો સામે કાયદાની જોગવાઈને આધીન કાર્યવાહી પણ કરવામાં આવશે.