- યામીના પાત્ર દ્વારા જ સ્ટોરીમાં ટર્ન આવશે
- ખુદ યામીએ પણ પોતે ધુરંધરમાં કામ કરવા ઈચ્છતી હોવાનું અગાઉ જણાવ્યું હતું
મુંબઈ : 'ધુરંધર ટુ : ધી રિવેન્જ' ફિલ્મમાં ફિલ્મના સર્જક આદિત્ય ધરની પત્ની તથા અભિનેત્રી યામી ગૌતમનો કેમિયો હશે તે કન્ફર્મ થયું છે. તેની ભૂમિકાની થોડી વિગતો પણ બહાર આવી છે.
યામી હોસ્પિટલના એક દ્રશ્યમાં જોવા મળશે. આ દ્રશ્ય સાથે જ ફિલ્મની સ્ટોરીમાં વળાંક આવશે.
યામી આ ફિલ્મમાં કેમિયો કરવાની છે તે ચર્ચા ઘણા અઠવાડિયાઓથી ચાલી રહી હતી. તેણે પાર્ટ ટુ માટે શૂટિંગ કર્યું હોવાના પણ અહેવાલો હતા. યામીએ અગાઉ જ જણાવ્યું હતું કે પોતે પાર્ટ વનમાં પણ કામ કરવા ઈચ્છતી હતી પરંતુ સ્ક્રિપ્ટમાં ક્યાંય તેને અનુકૂળ કોઈ રોલ સાંપડયો ન હતો.


