- ફિલ્મની સ્ક્રિપ્ટ લખાવી શરુ થઈ
- તેરી બાતો મેં ઐસા ઉલઝા જિયા ટુનું શૂટિંગ આવતાં વર્ષે શરુ થવાની સંભાવના
મુંબઇ : શાહિદ કપૂર અને કૃતિ સેનોનની ફિલ્મ 'તેરી બાતો મેં ઐસા ઉલઝા જિયા ટુ ' માં જાહ્નવી કપૂરની એન્ટ્રીની ચર્ચા છે.
હાલ ફિલ્મની સ્ક્રિપ્ટ પરકામ ચાલી રહ્યું છે અને ઓગસ્ટ મહિનામાં પૂરું કરવામાં આવશ. જોકે, જાહ્નવી કપૂરના રોલ વિશે કોઇ માહિતી આપવામાં આવી નથી. ફિલ્મનું શૂટિંગ ૨૦૨૭માં શરુ થાય તેવી સંભાવના છે. જોકે, ફિલ્મ વિશે આખરી નિર્ણય 'કોકટેલ ટુ'ની રીલિઝ બાદ કરવામાં આવશે. આ ફિલ્મમાં જાહ્નવીની એન્ટ્રીથી બોલિવુડ વર્તુળોને નવાઈ લાગી છે. જાહ્નવી કપૂર રૂપેરી પડદે નિષ્ફળ જઇ રહી હોવાથી તેણે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાટ પકડી છે. જોકે, ત્યાં પણ તેને ખાસ સફળતા મળી નથી. આથી હાલ તે તેની કારકિર્દી બચાવવા પ્રયાસો કરી રહી છે. જાહ્નવી કરતાં કૃતિ સેનોન અભિનય ક્ષમતા તથા કમર્શિઅલ સકસેસ બંને રીતે ક્યાંય આગળ નીકળી ચૂકી છે.


