- એફડબલ્યુઆઇસી સાથે સંકળાયેલા ક્રુ મેમ્બર્સોનો કામ કરવા પરનો પ્રતિબંધ નડશે
મુંબઇ : ફરહાન અખ્તર અને રણવીર સિંહની ડોન-૩ને લઇને શરૂથયેલા વિવાદના છાંટા જય મહેતાની પ્રલય પર પડે તેવી સંભાવના છે. વાત એમ છેકે, જય મહેતાના દિગ્દર્શનમાં બનનારી પ્રલય ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટ મહિનામાં શરૂ કરવાની યોજના જેમાં એકશન, લાઇટિંગ, કોસ્ચ્યુયમ, મેકઅપ, આર્ટ ડાયરેકશન અને સ્પોટ સ્ટાફની સંખ્યા ૫૦૦ હોવાની શક્યતા છે. જેમાંથી ૩૪ વેન્ડર ફેડરેશન ઓફ વેસ્ટન ઇન્ડિયા સિનેમાના હેઠળ આવે છે. એવામાં નોન-કોપરેટિવ ડાયરેકટિવથી ફિલ્મના શેડયુલ પર ફરક પડી શકે એમ છે. એક પ્રલયની ટીમ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, ક્રુમ ેમ્બર્સ પરનો પ્રતિબંધ એકટર કરતાં ડેઇલી વેતન મેળવનાર મજૂરોને વધુ અસરથાય તેવી શક્યતા છે.ડોન ૩ના વિવાદ પર કોઇ નિવારણ નહીં આવે તો પ્રલયનો ફિલ્મસર્જક કમ્પીટિશન કમીશન ઓફ ઇન્ડયાનો સંપર્ક કરીને તેની મદદ લઇ શકે છે. નોન કોર્પોરેશન ડાયરેકટિવ, પ્રોડયુસર્સને નોન મેબ્રસને લઇને કામ કરાવી શકે.
તેથી સ્થિતિ વધુ વસણશે તોપ્રલયના ફિલ્મસર્જક નોન મેમ્બર્સ સાથે મળીને પ્રલયનું શૂટિંગ ભારતના અન્ય કોઇ હિસ્સામાં કરી શકશે.
એફડબલ્યુઆઇસીનો પ્રતિબંધ ફક્ત તેના સભ્યો પર લાગુ પડતો હોય છે. કોઇ નોન-મેમ્બરને તે કામ કરતાં રોકી શકે નહીં. ફિલ્મનું શૂટિંગ મુંબઇની બહાર કોઇ પણ સમસ્યા વગર કરી શકાશે.


