Daily Current Affairs

રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના પરિષદ-2026માં 'પ્રહાર' નીતિના અમલીકરણ પર ભાર

By GS Team
25 Aug 20263 mins read
TukuTouch Logo
કેન્દ્રીય ગૃહમંત્રીએ દિલ્હીમાં 9મી રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના (NSS) પરિષદ-2026નું ઉદ્ઘાટન કર્યું. આ પરિષદમાં દેશભરમાંથી 850થી વધુ અધિકારીઓ અને નિષ્ણાતો સુરક્ષા પડકારોના ઉકેલ માટે જોડાયા હતા. આતંકવાદ, સાયબર ક્રાઈમ, નાર્કોટિક્સ કંટ્રોલ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ. ગૃહમંત્રીએ 'પ્રહાર' યોજનાના અમલીકરણ પર ભાર મૂક્યો, જે ભારતની પ્રથમ વ્યાપક આતંકવાદ વિરોધી નીતિ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના પરિષદ-2026માં 'પ્રહાર' નીતિના અમલીકરણ પર ભાર

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીએ નવી દિલ્હીમાં 9મી બે દિવસીય રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના (NSS) પરિષદ-2026 નું ઉદ્ઘાટન કર્યું. આ પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાસરૂટ સ્તરે કામ કરતા અધિકારીઓના અનુભવ અને નિષ્ણાતોની મદદથી સુરક્ષા પડકારોના ઉકેલ લાવવાનો છે.

પરિષદની મુખ્ય વિશેષતાઓ અને સહભાગિતા:

  • આ પરિષદ હાઇબ્રિડ ફોર્મેટમાં યોજાઈ હતી, જેમાં દેશભરમાંથી 850 થી વધુ સહભાગીઓએ હાજરી આપી હતી.
  • દિલ્હીમાં યોજાયેલી આ બેઠકમાં ગૃહ રાજ્ય મંત્રીઓ, કેન્દ્રીય ગૃહ સચિવ, ડેપ્યુટી NSA અને CAPFના પ્રમુખો હાજર રહ્યા હતા. જ્યારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના DGP, યુવા પોલીસ અધિકારીઓ અને નિષ્ણાતો વિઝ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.
  • પ્રથમ દિવસે આતંકવાદ સામેની લડાઈ, મલ્ટી એજન્સી સેન્ટર (MAC) દ્વારા ગુપ્ત માહિતીનું વિશ્લેષણ, નાર્કોટિક્સ કંટ્રોલ, ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓની અટકાયત અને સાયબર ક્રાઈમ સામેની નીતિઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
  • આ પરિષદના બીજા દિવસે સબ-એરિયલ સિસ્ટમ્સ, બ્લુ ઇકોનોમીની સુરક્ષા, માહિતી યુદ્ધ (information warfare) અને બાયો સિક્યુરિટી ફ્રેમવર્ક જેવા ગંભીર જોખમો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
  • આતંકવાદ અને કટ્ટરપંથને ડામવા માટે ગૃહમંત્રીએ ગૃહ મંત્રાલયની 'પ્રહાર' યોજનાના અમલીકરણ માટે તાલીમ પર ભાર મૂક્યો હતો. તેમજ ભેદીઓને પાછા લાવવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ કેસોની તપાસમાં સંકલિત અભિગમ અપનાવવા નિર્દેશ આપ્યો હતો.

‘પ્રહાર’ યોજના 

પ્રહાર ગૃહ મંત્રાલય દ્વારા રજૂ કરાયેલ ભારતની પ્રથમ વ્યાપક રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી નીતિ અને વ્યૂહરચના છે. જેનો મુખ્ય હેતુ આતંકવાદની રોકથામ, ઝડપી પ્રતિસાદ, આતંકવાદી નેટવર્કને નબળું પાડવું અને રાષ્ટ્રીય સ્થિતિસ્થાપકતા વધારવાનો છે. 

PRAHAAR શબ્દના દરેક અક્ષર દ્વારા તેની 7-Pillar સ્ટ્રેટેજી દર્શાવવામાં આવી છે: 

P – Prevention: ભારતીય નાગરિકો અને હિતોનું રક્ષણ કરવા માટે આતંકવાદી હુમલાઓનું અટકાયત. 

R – Responses: આતંકવાદી હુમલા સામે ઝડપી અને પ્રમાણસર પ્રતિસાદ 

A – Aggregating Internal Capacities: વિવિધ સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓની ક્ષમતાઓને એકસાથે લાવવી. 

H – Human Rights & Rule of Law: આતંકવાદ વિરોધી કાર્યવાહી દરમિયાન માનવ અધિકારો અને કાયદાના શાસનનું પાલન. 

A – Attenuating Conditions: આતંકવાદને પ્રોત્સાહન આપતી પરિસ્થિતિઓ ઘટાડવી 

A – Aligning International Efforts: આંતરરાષ્ટ્રીય સહયોગ મજબૂત કરવો. 

R – Recovery & Resilience: સમગ્ર સમાજના અભિગમ દ્વારા પુનઃપ્રાપ્તિ અને સ્થિતિસ્થાપકતા.

પરીક્ષાલક્ષી પ્રશ્નો:

પ્રશ્ન 1: પ્રહાર’ યોજનાનો મુખ્ય હેતુ શું છે?

(A) માત્ર સાયબર ક્રાઈમ રોકવો
(B) આતંકવાદની રોકથામ, ઝડપી પ્રતિસાદ, આતંકવાદી નેટવર્કને નબળું પાડવું અને રાષ્ટ્રીય સ્થિતિસ્થાપકતા વધારવી
(C) માત્ર નાર્કોટિક્સની હેરાફેરી રોકવી
(D) માત્ર સરહદ સુરક્ષા વધારવી

પ્રશ્ન 2: નીચેના પૈકી કયો ક્રમ PRAHAARના અભિગમને સૌથી યોગ્ય રીતે દર્શાવે છે?

(A) Prevention → Response → Internal Capacity → Rule of Law → Conditions → International Efforts → Recovery & Resilience

(B) Prevention → Recovery → Rule of Law → International Efforts → Response → Internal Capacity → Conditions

(C) Response → Prevention → International Efforts → Recovery → Rule of Law → Internal Capacity → Conditions

(D) Prevention → Internal Capacity → Economic Development → Response → International Efforts → Recovery → Rule of Law