Daily Current Affairs

કોચીન શિપયાર્ડનું સ્વદેશી યુદ્ધજહાજ 'INS માંગરોળ' ભારતીય નૌકાદળને સોંપાયું

By GS Team
22 Aug 20261 min read
TukuTouch Logo
કોચીન શિપયાર્ડ દ્વારા નિર્મિત ત્રીજું 'એન્ટી-સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ' INS માંગરોળ 21 ઑગસ્ટ, 2026ના રોજ ભારતીય નૌકાદળને સોંપાયું છે. 80%થી વધુ સ્વદેશી સામગ્રી સાથે, આ જહાજ 'આત્મનિર્ભર ભારત'ને વેગ આપશે. ગુજરાતના જૂનાગઢ જિલ્લાના દરિયાકાંઠાના શહેર માંગરોળ પરથી નામ અપાયું છે. તે સબમરીન વિરોધી કામગીરી અને પાણીની અંદર દેખરેખમાં સક્ષમ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કોચીન શિપયાર્ડનું સ્વદેશી યુદ્ધજહાજ 'INS માંગરોળ' ભારતીય નૌકાદળને સોંપાયું

કોચીન શિપયાર્ડ લિમિટેડ, કોચી દ્વારા નિર્મિત ત્રીજું 'એન્ટી-સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ' (ASW SWC) 'માંગરોળ' (INS Mangrol) 21 ઑગસ્ટ 2026ના રોજ ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું છે. આ જહાજમાં 80%થી વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 'આત્મનિર્ભર ભારત' અભિયાનને બળ આપે છે. 

વિશેષતાઓ અને ક્ષમતા:

  • તે વોટરજેટ આધારિત પ્રોપલ્શન સિસ્ટમ ધરાવે છે.
  • દરિયાકાંઠાના વિસ્તારોમાં સબમરીન વિરોધી કામગીરી(ASW), પાણીની અંદર દેખરેખ અને માઇન વોરફેર ક્ષમતાઓ ધરાવે છે.
  • આધુનિક ટોર્પિડો, એન્ટી-સબમરીન રોકેટ, રડાર અને સોનાર સિસ્ટમથી સજ્જ છે.

ગુજરાત સાથે સંબંધ અને ઐતિહાસિક વારસો:

આ જહાજનું નામ ગુજરાતના જૂનાગઢ જિલ્લાના દરિયાકાંઠાના શહેર અને બંદર 'માંગરોળ' પરથી રાખવામાં આવ્યું છે.

પરીક્ષાલક્ષી પ્રશ્ન:

પ્રશ્ન 1: તાજેતરમાં ભારતીય નૌકાદળને સોંપવામાં આવેલ એન્ટી-સબમરીન વોરફેર જહાજ 'માંગરોળ' સંદર્ભે નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

  1. આ જહાજ કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા નિર્મિત કરવામાં આવ્યું છે.
  2. તેનું નામકરણ ગુજરાતના જૂનાગઢ જિલ્લાના 'માંગરોળ' બંદર પરથી કરવામાં આવ્યું છે.

(A) માત્ર 1         (B) માત્ર 2          (C) 1 અને 2 બંને           (D) એકપણ નહીં