Daily Current Affairs

નાળિયેર ઉત્પાદનોની નિકાસમાં 62%નો ઉછાળો, ભારતનું વૈશ્વિક નાળિયેર ક્ષેત્રે વર્ચસ્વ

By GS Team
1 Sep 20262 mins read
TukuTouch Logo
ભારતની નાળિયેર ઉત્પાદનોની નિકાસ નાણાકીય વર્ષ 2026માં 62% વધીને ₹7,038.35 કરોડ થઈ છે. તમિલનાડુ, કર્ણાટક, કેરળ અને આંધ્રપ્રદેશ મુખ્ય ઉત્પાદક રાજ્યો છે, જે 91.11% હિસ્સો ધરાવે છે. ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓ પણ આ ઉત્પાદનમાં યોગદાન આપે છે. નાળિયેર ક્ષેત્ર 30 મિલિયન લોકોને આજીવિકા પૂરી પાડે છે. કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડ અને ICAR-CPCRI આ ક્ષેત્રના વિકાસ માટે કાર્યરત છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નાળિયેર ઉત્પાદનોની નિકાસમાં 62%નો ઉછાળો, ભારતનું વૈશ્વિક નાળિયેર ક્ષેત્રે વર્ચસ્વ

નાણાકીય વર્ષ 2026માં ભારતની નાળિયેર ઉત્પાદનોની નિકાસ અગાઉના નાણાકીય વર્ષના ₹4,349.03 કરોડથી 62% વધીને ₹7,038.35 કરોડ (અથવા 794.70 મિલિયન યુએસ ડોલર) થઈ ગઈ છે. આ ઉપરાંત, વૈશ્વિક નાળિયેર ઉત્પાદનમાં 31.24% હિસ્સા સાથે ભારત વિશ્વનો સૌથી મોટો નાળિયેર ઉત્પાદક દેશ બની ગયો છે. 

 મુખ્ય વિશેષતાઓ અને ઉત્પાદન ક્ષેત્ર

  • કર્ણાટક, તમિલનાડુ, કેરલમ અને આંધ્રપ્રદેશ ભારતના કુલ નાળિયેર ઉત્પાદનમાં 91.11% હિસ્સો ધરાવે છે. આ ચાર રાજ્યો દેશના મુખ્ય નાળિયેર પટ્ટાની રચના કરે છે.
  • ભારતની નાળિયેર નિકાસમાં વર્જિન કોકોનટ ઓઇલ, નાળિયેરનું દૂધ, નાળિયેર પાણી અને એક્ટિવેટેડ કાર્બનનો સમાવેશ થાય છે, જેનો ઉપયોગ ફૂડ પ્રોસેસિંગ, સૌંદર્ય પ્રસાધનો અને ઔદ્યોગિક ગાળણ (industrial filtration) માં થાય છે.
  • ભારતનું નાળિયેર ક્ષેત્ર અંદાજે 10 મિલિયન નાના અને સીમાંત ખેડૂતો સહિત લગભગ 30 મિલિયન આજીવિકાઓને સમર્થન આપે છે.
  • ભારતમાં મુખ્ય ઉત્પાદક રાજ્યો:
    • સૌથી વધુ ઉત્પાદન: તામિલનાડુ.
    • સૌથી વધુ વાવેતર વિસ્તાર (Area): કેરલમ.
    • સૌથી વધુ ઉત્પાદકતા (Productivity): આંધ્રપ્રદેશ.
    • ગુજરાત: ગુજરાતમાં દરિયાકાંઠાના જિલ્લાઓમાં વિસ્તરણ થઈ રહ્યું છે. જેમાં મુખ્ય ઉત્પાદક જિલ્લાઓ જૂનાગઢ (ગીર સોમનાથ), વલસાડ, ભાવનગર, કચ્છ અને પોરબંદર છે. 

 સંસ્થાકીય અને નીતિગત માળખું

કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડ: આ નાળિયેર ક્ષેત્રના વિકાસ સાથે જોડાયેલી વૈધાનિક સંસ્થા છે, જેણે 31 જુલાઈ 2026 સુધીમાં 8,700 નાળિયેર ઉત્પાદન નિકાસકારોની નોંધણી કરી હતી. આનું વડું મથક કોચી (કેરલમ) આવેલું છે. 

ICAR-CPCRI (સેન્ટ્રલ પ્લાન્ટેશન ક્રોપ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ): નાળિયેર અને અન્ય બાગાયતી પાકો પર સંશોધન કરે છે. આનું વડું મથક કાસરગોડ (કેરલમ) આવેલું છે. 

બજેટ સહાય અને યોજના: કેન્દ્રીય બજેટ 2026-27 માં ₹350 કરોડની ફાળવણી સાથે 'નાળિયેર પ્રોત્સાહન યોજના' (Coconut Promotion Scheme) રજૂ કરવામાં આવી છે.

નાળિયેર - ભૌગોલિક પરિસ્થિતિઓ 

  • પાકનો પ્રકાર: રોકડિયો પાક / બાગાયતી પાક.
  • હવામાન: ઉષ્ણકટિબંધીય વાતાવરણ. 
  • તાપમાન: 20°C  થી 34°C (સરેરાશ 27°C ). અતિશય ઠંડી કે હિમપાત સહન કરી શકતું નથી.
  • વરસાદ: 1000 mm થી 3000 mm (સરેરાશ 1500-2000 mm) વાર્ષિક વરસાદ.
  • જમીન: રેતાળ-ગોરાડુ , કાંપની જમીન, રાતી અને દરિયાકાંઠાની ખારી જમીનમાં પણ થઈ શકે છે. સારી નિતારશક્તિ (Well-drained soil) હોવી જરૂરી છે.
  • ઊંચાઈ: દરિયાઈ સપાટીથી સામાન્ય રીતે 600 મીટર સુધીની ઊંચાઈ.

પરીક્ષાલક્ષી પ્રશ્ન

પ્રશ્ન 1: ભારતના નાળિયેર ક્ષેત્ર અંગે નીચેના વિધાનો પર વિચાર કરો:

  1. ભારતનો વૈશ્વિક નાળિયેર ઉત્પાદનમાં 31.24% હિસ્સો છે.
  2. કર્ણાટક, તમિલનાડુ, કેરલમ અને આંધ્રપ્રદેશ મળીને ભારતના કુલ નાળિયેર ઉત્પાદનમાં 91.11% હિસ્સો ધરાવે છે.
  3. કેરલમ નાળિયેરના સૌથી મોટા વાવેતર વિસ્તાર ધરાવતું રાજ્ય છે.
  4. આંધ્રપ્રદેશ નાળિયેરની ઉત્પાદકતામાં અગ્રેસર છે.

સાચાં વિધાનો કયાં છે?

(A)માત્ર 1 અને 2
(B)માત્ર 2 અને 3
(C)માત્ર 1, 2 અને 4
(D)1,2,3 અને 4