Chhota Udaipur

નસવાડીમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી; પરંપરાગત વેશભૂષા, નૃત્ય અને ડીજેના તાલે નીકળી વિશાળ રેલી

By GS Team
9 Aug 20262 mins read
TukuTouch Logo
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી થઈ. આદિવાસી સમાજે સંસ્કૃતિ, પરંપરા અને એકતા દર્શાવતી ભવ્ય રેલી કાઢી. પરંપરાગત પૂજા-અર્ચના, નૃત્ય અને નાચગાન સાથે શહેર આદિવાસી રંગે રંગાયું. જળ, જમીન અને જંગલનું પૂજન કરી, યુવાનોએ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો. મહિલાઓએ પણ પરંપરાગત વેશભૂષામાં નૃત્ય રજૂ કર્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

નસવાડીમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી; પરંપરાગત વેશભૂષા, નૃત્ય અને ડીજેના તાલે નીકળી વિશાળ રેલી

World Tribal Day Celebrated in Naswadi: વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે આદિવાસી સમાજ દ્વારા સંસ્કૃતિ, પરંપરા અને એકતાના પ્રતીક સમી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજા-અર્ચના, પરંપરાગત નૃત્ય અને ઉત્સાહભેર નાચગાન સાથે યોજાયેલી આ રેલીમાં સમગ્ર નસવાડી શહેર આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાયું હતું.

જળ, જમીન અને જંગલનું પૂજન

આદિવાસી સમાજમાં પ્રાકૃતિક સંપદા એવી જળ, જમીન અને જંગલનું વિશેષ મહત્ત્વ રહેલું છે. રેલીની શરૂઆત પહેલાં નસવાડી ખાતે આદિવાસી સમાજના યુવાનો અને આગેવાનો દ્વારા પરંપરાગત રીત-રિવાજ મુજબ જળ, જમીન અને જંગલનું પૂજન કરી પોતાની આગવી સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવી હતી.

પરંપરાગત સાધનો અને નારા સાથે ગૂંજી ઊઠ્યું શહેર

પૂજા-અર્ચના બાદ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો વિશાળ રેલી સ્વરૂપે જોડાઈને માર્ગો પર નીકળ્યા હતા. યુવાનો હાથમાં જમીન અને પર્યાવરણના સંરક્ષણ સાથે સંકળાયેલા પરંપરાગત સાધનો સાથે જોડાયા હતા. ડીજેના તાલ અને પરંપરાગત વાદ્યોના સૂર વચ્ચે વિવિધ નારા લગાવીને યુવાનોએ સમગ્ર વાતાવરણને ગુંજાવી દીધું હતું.

મહિલાઓ દ્વારા પરંપરાગત આદિવાસી નૃત્ય રજૂ કરાયું

આ ઉજવણીમાં મહિલા શક્તિ પણ મોટા પ્રમાણમાં જોવા મળી હતી. આદિવાસી સમાજની મહિલાઓ પોતાની પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને રેલીમાં જોડાઈ હતી. રેલી દરમિયાન મહિલાઓએ રસ્તા પર આદિવાસી લોકનૃત્ય અને નાચગાન રજૂ કરી સાંસ્કૃતિક વિરાસતની ઝલક દર્શાવી હતી.

સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં એકતાનો સંદેશ

નસવાડી ઉપરાંત છોટા ઉદેપુર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પણ વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ સ્થળોએ કાઢવામાં આવેલી રેલીઓ દ્વારા આદિવાસી સમાજે જળ, જમીન અને જંગલના સંરક્ષણની સાથે પોતાની પ્રાચીન પરંપરાઓ અને સંસ્કૃતિને જીવંત રાખવા માટે એકતાનો મજબૂત સંકલ્પ વ્યક્ત કર્યો હતો.