Get The App

સોના-ચાંદી બાદ અચાનક જ શેરબજારમાં પણ કડાકો, ઓટો-IT સેક્ટર્સના શેર્સ કેમ તૂટ્યાં?

Updated: Feb 6th, 2026

GS TEAM

Google News
Google News
સોના-ચાંદી બાદ અચાનક જ શેરબજારમાં પણ કડાકો, ઓટો-IT સેક્ટર્સના શેર્સ કેમ તૂટ્યાં? 1 - image


Reserve Bank Of India : ભારતીય રિઝર્વ બેંક (RBI) એ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ દરમિયાન શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 350 પોઈન્ટ તૂટીને 83,000ની સપાટી નીચે કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 150 પોઈન્ટ ગબડીને 25,500ની નીચે સરકી ગયો છે.

BSE ના ટોપ 30 શેરોમાંથી 21 શેરો ઘટાડા સાથે લાલ નિશાનમાં છે, જ્યારે માત્ર 9 શેરોમાં તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને IT શેરોમાં ભારે વેચવાલી જોવા મળી છે. ટેક મહિન્દ્રા, TCS, ઈન્ફોસિસ અને વિપ્રો જેવા શેરોમાં મોટો કડાકો જોવાયો છે. આ ઉપરાંત NTPC, HDFC અને મારુતિના શેરમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે.

સોના અને ચાંદીના ભાવમાં પણ ગાબડું

શેરબજારની સાથે સોના અને ચાંદીના ભાવમાં પણ ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાંદી: મલ્ટી કોમોડિટી માર્કેટ (MCX) પર ચાંદી 12,000 રૂપિયા તૂટીને 2.29 લાખ રૂપિયા પર આવી ગઈ છે. સોનું: સોનાના ભાવમાં પણ આશરે 2,000 રૂપિયાનો ઘટાડો થયો છે અને તે 1.49 લાખ રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. ETF: ગોલ્ડ ETF માં 2% અને સિલ્વર ETF માં આશરે 6% નો ઘટાડો નોંધાયો છે.

ઘટાડાનું કારણ: આ ઘટાડાનું મુખ્ય કારણ વૈશ્વિક બજાર છે. આંતરરાષ્ટ્રીય બજાર (COMEX) પર ગુરુવારે ચાંદી 20% સુધી તૂટી હતી, જેની અસર શુક્રવારે ભારતીય બજાર (MCX) પર જોવા મળી રહી છે.

બજારની સ્થિતિ: 63 શેરોમાં લોઅર સર્કિટ

BSE પર લિસ્ટેડ 3,348 શેરોમાંથી 1,170 શેર તેજીમાં છે, જ્યારે 2,017 શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. 41 શેરો તેમની 52-અઠવાડિયાની ઊંચી સપાટીએ છે, જ્યારે 45 શેરો નીચી સપાટીએ છે. 82 શેરોમાં અપર સર્કિટ અને 63 શેરોમાં લોઅર સર્કિટ લાગી છે.

આ પણ વાંચો : ચાંદીની કિંમતોમાં 5%નું ગાબડું, એક જ દિવસમાં ₹14,600થી વધુનો કડાકો, સોનું પણ તૂટ્યું

શા માટે ઘટ્યું શેરબજાર?

ગુરુવારે અમેરિકી બજાર (વોલ સ્ટ્રીટ) માં ભારે વેચવાલીને કારણે એશિયન બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો, જેની સીધી અસર ભારતીય બજાર પર પડી છે. Dow Jones આશરે 600 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો. S&P 500 માં પણ 1% થી વધુનો ઘટાડો નોંધાયો, જેના કારણે IT શેરોમાં સૌથી વધુ નુકસાન થયું છે.

રેપો રેટ યથાવત: EMI માં કોઈ ફેરફાર નહીં

RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જાહેરાત કરી છે કે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. તેને અગાઉની જેમ જ 5.25% પર સ્થિર રાખવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે તમારા હોમ લોન કે કાર લોનના EMI માં કોઈ ફેરફાર થશે નહીં.