Business

NRI ડીમેટ ખાતામાં ૫ લાખથી વધુનો વધારો

By GS Team
23 Jul 20263 mins read
TukuTouch Logo
અમદાવાદ: ભારતીય શેરબજારમાં NRIનો વિશ્વાસ વધ્યો છે. છેલ્લા 7 વર્ષમાં NRI ડીમેટ ખાતાઓની સંખ્યા 5 લાખથી વધીને 9 લાખ થઈ છે, જેનું કુલ મૂલ્ય 4.6 લાખ કરોડ રૂપિયા થયું છે. RBIએ NRI રોકાણ મર્યાદા 5% થી વધારી 10% કરી છે, જ્યારે કુલ રોકાણ મર્યાદા 10% થી 24% કરવામાં આવી છે. આ પગલાંથી ભારતીય બજારમાં NRI રોકાણ વધુ વધશે તેવી અપેક્ષા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

NRI ડીમેટ ખાતામાં ૫ લાખથી વધુનો વધારો

ભારતીય શેરબજારમાં બિન-નિવાસી ભારતીયોનો વિશ્વાસ વધ્યો
છેલ્લા સાત વર્ષમાં, NRI ડીમેટ ખાતાઓની સંખ્યા ૫ લાખથી વધુથી વધીને લગભગ ૯ લાખ થઈ ગઈ છે, જેનું કુલ મૂલ્ય ૪.૬ લાખ કરોડ છે
અમદાવાદ : છેલ્લા સાત વર્ષમાં સક્રિય બિન-નિવાસી ભારતીય (એનઆરઆઈ) રોકાણકારોની સંખ્યામાં ૫ લાખથી વાૃધુનો વાૃધારો થયો છે. સરકાર અને નિયમનકારોએ રોકાણને સરળ બનાવવાના પ્રયાસો કર્યા તે પહેલાં જ આ વૃદ્ધિ થઈ છે. ડિપોઝિટરી ડેટા અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ૩૧૪,૯૬૬ સક્રિય એનઆરઆઈ ખાતા હતા. માર્ચ ૨૦૨૬ સુાૃધીમાં આ સંખ્યા વાૃધીને ૮,૯૯,૪૯૩ થઈ ગઈ હતી.
આ ખાતાઓમાં કુલ હોલ્ડિંગનું મૂલ્ય નાણાકીય વર્ષ ૨૦૧૯માં રૂ. ૧.૫ લાખ કરોડથી વાૃધીને નાણાકીય વર્ષ ૨૦૨૬ સુાૃધીમાં રૂ. ૪.૬ લાખ કરોડ થવાની ાૃધારણા છે. નાણાકીય વર્ષ ૨૦૨૫માં આ ખાતાઓની હોલ્ડિંગનું મૂલ્ય રૂ. ૫.૧ લાખ કરોડ સુાૃધી પહોંચ્યું હોવા છતાં, બજારમાં ઘટાડાને કારણે શેરહોલ્ડિંગનું મૂલ્ય ઘટયું છે. તાજેતરના વર્ષોમાં એનઆરઆઈ ખાતાઓની સંખ્યા ઝડપથી વાૃધી છે, અને માર્ચ ૨૦૨૪ના અંતમાં સક્રિય એનઆરઆઈ રોકાણકારોની સંખ્યા ૫,૯૦,૯૨૪ હતી.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ જૂનમાં જણાવ્યું હતું કે દેશમાં બિન-નિવાસી ભારતીયો દ્વારા રોકાણને સરળ બનાવવા માટે પગલાં લેવામાં આવશે. ૧૨ અને ૧૩ જૂનના રોજના નોટિફિકેશન દ્વારા, એક જ કંપનીમાં એનઆરઆઈ રોકાણકારો માટે વ્યક્તિગત રોકાણ મર્યાદા ૫%થી વાૃધારીને ૧૦% કરવામાં આવી છે. આવા રોકાણકારો માટે કુલ રોકાણ મર્યાદા પણ ૧૦%થી વાૃધારીને ૨૪% કરવામાં આવી છે.
નાણાકીય વર્ષ ૨૦૨૬ સુાૃધીમાં ભારતમાં વિદેશી નાગરિકોના ઇક્વિટી રોકાણનું કુલ મૂલ્ય રૂ. ૫,૬૬૩ કરોડ હતું.પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ હેઠળની આ નવી મર્યાદાઓ વિદેશી નાગરિકો સહિત, ઓવરસીઝ સિટિઝન્સ ઓફ ઇન્ડિયા અને ભારતની બહાર રહેતા તમામ વ્યક્તિઓને લાગુ પડે છે. ફેબ્રુઆરીમાં રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટમાં સૌપ્રથમ ભારતીય ઇક્વિટીમાં વ્યક્તિગત રોકાણને ઉદાર બનાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ડિપોઝિટરી ડેટા અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૬ સુાૃધીમાં ભારતમાં સક્રિય ખાતા ાૃધરાવતા ૩,૫૪૫ વિદેશી નાગરિકો હતા, જે નાણાકીય વર્ષ ૨૦૧૯ માં ૩,૬૪૫ હતા. એક મધ્યસ્થીએ જણાવ્યું હતું કે આ ખાતાઓમાં ભારતમાં વિદેશી સીાૃધા રોકાણ (એફડીઆઈ) ના ભાગ રૂપે શેર ાૃધરાવતા રોકાણકારો, ભારતમાં રહેતા વિદેશી નાગરિકો અથવા વિદેશી નાગરિકતા ાૃધરાવતા ભારતીય મૂળના લોકો સહિત અન્ય લોકોનો સમાવેશ થઈ શકે છે.
પોર્ટફોલિયો રોકાણ યોજનામાં સમર્પિત બેંક ખાતું, બેંક દ્વારા ખરીદી અને વેચાણનું રિપોર્ટિંગ અને ડિલિવરી-ઓન્લી ટ્રેડિંગ જરૂરી છે. એનઆરઆઈ માટે ખાતું ખોલવાની પ્રક્રિયા ડિજિટલી રીતે બોજારૂપ રહી છે. આ જ કારણ છે કે વિદેશમાં રહેતા મોટાભાગના નાના રોકાણકારો સીાૃધા શેરોમાં રોકાણ કરવાને બદલે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું પસંદ કરે છે.
નોંાૃધપાત્ર મૂડી ાૃધરાવતા કેટલાક લોકો ભારતીય શેરોમાં વાૃધુ રોકાણ કરવા માંગે છે. ભારતીય બજારમાં વિદેશી ભાગીદારી વાૃધારવા માટે, ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી) દ્વારા આ સુવિાૃધા આપવામાં આવી રહી છે.
જૂનના અંતમાં, ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સવસીસ સેન્ટર્સ ઓથોરિટી એ તમારા ગ્રાહકને જાણો પ્રક્રિયાને સરળ બનાવવા માટે ઘણા પગલાં સૂચવ્યા હતા.