Business

ચીન દ્વારા વધુ ત્રણ ભારતીય ચોખા નિકાસકારો પર પ્રતિબંધ, કુલ સંખ્યા ૧૦

By GS Team
18 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ: ચીને 3 ભારતીય ચોખા નિકાસકારોની નોંધણી રદ કરી, કુલ 10 પર પ્રતિબંધ મુકાયો છે. ચીનનો દાવો છે કે ભારતીય ચોખામાં GMOs હોય છે. સરલા ફૂડ્સ, પટ્ટાભી એગ્રો ફૂડ્સ અને ઓમ ઇન્ડિયા ટ્રેડિંગ લિમિટેડ પ્રભાવિત થઈ છે. ભારતીય નિકાસકારો આને વેપાર યુદ્ધ ગણાવી રહ્યા છે. ચીન પાકિસ્તાનને ફાયદો કરાવી રહ્યું હોવાનું મનાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચીન દ્વારા વધુ ત્રણ ભારતીય ચોખા નિકાસકારો પર પ્રતિબંધ, કુલ સંખ્યા ૧૦

ભારતીય નિકાસકારોના મત અનુસાર ચીન જાણી જોઈને વેપારમાં અવરોધ લાવી રહ્યું છે, જે વેપાર યુદ્ધનું એક સ્વરૂપ છે
અમદાવાદ : ચીને વધુ ત્રણ ભારતીય ચોખા નિકાસકારોની નોંધણી રદ કરી છે. ચીનનો દાવો છે કે ભારતમાંથી મોકલવામાં આવતા ચોખામાં આનુવંશિક રીતે સુધારેલા જીવો (GMOs) હોય છે. આ નવી કાર્યવાહી સાથે, કુલ ૧૦ ભારતીય ચોખા નિકાસકારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અસરગ્રસ્ત ત્રણ કંપનીઓમાં આંધ્રપ્રદેશના કાકીનાડાની સરલા ફૂડ્સ અને પટ્ટાભી એગ્રો ફૂડ્સનો સમાવેશ થાય છે, તેમજ નવી દિલ્હીની ઓમ ઇન્ડિયા ટ્રેડિંગ લિમિટેડનો પણ સમાવેશ થાય છે.
જોકે, ભારતીય ચોખાના વેપારીઓનો આરોપ છે કે ચીન જાણી જોઈને ભારતીય ચોખાના વેપારમાં અવરોાૃધ લાવી રહ્યું છે. તેમનું કહેવું છે કે આ નિયમિત ગુણવત્તા નિરીક્ષણનો વિષય નથી લાગતો. ચીન આયાત જકાત વાૃધાર્યા વિના અન્ય નિયમો અને પ્રતિબંાૃધો દ્વારા ભારતીય ચોખાના વેપારને પ્રતિબંિધત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આવા પ્રતિબંાૃધોને નોન-ટેરિફ અવરોાૃધો તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય નિકાસકારોએ પણ આને વેપાર યુદ્ધ તરીકે વર્ણવ્યું છે.
ચોખા નિકાસકારોના જણાવ્યા અનુસાર, ચીનના જનરલ એડમિનિસ્ટ્રેશન ઓફ કસ્ટમ્સ એ કેટલાક ભારતીય ચોખાના કન્સાઇન્મેન્ટને બિન-અનુપાલનકર્તા જાહેર કર્યા છે. ચીની ખરીદદારે અહેવાલ આપ્યો છે કે ચીની અિાૃધકારીઓએ ચોખાના કન્સાઇન્મેન્ટમાં GMOs શોાૃધી કાઢયા છે. આ કન્સાઇન્મેન્ટ બધા તૂટેલા ચોખા હતા. જોકે, ભારતમાં ચીની અિાૃધકારીઓએ વ્યક્તિગત રીતે નિરીક્ષણ કર્યું હતું અને શિપમેન્ટ પસાર કર્યા હતા. ભારત સરકારે ચીનને સ્પષ્ટપણે જણાવ્યું છે કે દેશમાં કોઈ GM પાક ઉગાડવામાં આવતા નથી.
ચોખા નિકાસકારોના એસોસિએશન (છત્તીસગઢ) ના જણાવ્યા અનુસાર, ચીન દ્વારા કન્સાઇન્મેન્ટ પરત કરવાથી શંકા ઉભી થાય છે. પરત કરાયેલા ચોખાના કન્સાઇન્મેન્ટ ભારત પાછા લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ તેમનું નિરીક્ષણ કર્યું હતું. પરીક્ષણોમાં ચોખામાં કોઈ GMOs ન હોવાનું બહાર આવ્યું હતું. આ જ ચોખાના કન્સાઇન્મેન્ટ પછીથી અન્ય દેશોમાં નિકાસ કરવામાં આવ્યા હતા, અને ગુણવત્તા તપાસમાં ત્યાં કોઈ સમસ્યા બહાર આવી નથી.
ચીનની કાર્યવાહીથી ભારતીય ચોખાના વેપાર પર ઝડપી અસર પડી છે. અહેવાલો અનુસાર, મે મહિનાના અંત સુાૃધીમાં, ચીને GMOs નો ઉલ્લેખ કરીને ભારતમાંથી ઓછામાં ઓછા ૭૦ નોન-બાસમતી ચોખાના કન્સાઇન્મેન્ટ પરત કર્યા હતા.
આ નિર્ણય ભારતીય વેપારીઓને ભારે નુકસાન પહોંચાડી રહ્યો છે અને વેપાર સંપૂર્ણપણે સ્થગિત થઈ ગયો છે. વેપારીઓના મતે, ચીનમાં એક કન્ટેનર મોકલવામાં ફક્ત ૨૫૦ ડોલરનો ખર્ચ થાય છે, પરંતુ ચીની બંદરોથી પરત કરાયેલ કન્સાઇન્મેન્ટ મેળવવામાં ૨,૫૦૦ થી ૪,૫૦૦ ડોલરનો ભારે ખર્ચ થાય છે. નિકાસકારો કહે છે કે ચીન ઇરાદાપૂર્વક પાકિસ્તાનને ફાયદો કરાવી રહ્યું હોય તેવું લાગે છે, કારણ કે તે હવે અન્ય દેશો, ખાસ કરીને પાકિસ્તાનથી ઊંચા ભાવે ચોખા ખરીદી રહ્યું છે.