Bhavnagar

સિંધી સમાજ દ્વારા આજથી ચાલીસા વ્રતની ઉજવણીનો પ્રારંભ થશે

By GS Team
9 Aug 20261 min read
TukuTouch Logo
ભાવનગરમાં સમસ્ત સિંધી સમાજ દ્વારા ભગવાન ઝુલેલાલના ચાલીસા વ્રતનો 9 ઓગસ્ટથી પ્રારંભ થશે. 40 દિવસના આ વ્રતમાં વ્રતધારીઓ આકરા નિયમો પાળશે, જેમાં માત્ર બાફેલું ભોજન અને સફેદ વસ્તુઓનો ત્યાગ કરવાનો રહેશે. મંદિરોમાં વિશેષ પૂજા, સત્સંગ અને ભજન-કિર્તન યોજાશે. અંતિમ દિવસે દરિયામાં મટકી પ્રવહન કરીને વ્રતની પૂર્ણાહુતિ કરાશે. અખંડ જ્યોત અને શોભાયાત્રા પણ નીકળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સિંધી સમાજ દ્વારા આજથી ચાલીસા વ્રતની ઉજવણીનો પ્રારંભ થશે

અખંડ જયોત અને શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાશે

૪૦ દિવસ સુધી વ્રતધારીઓએ આકરા નિયમો પાળશે, અંતિમ દિવસે દરિયામાં મટકી પ્રવહન કરીને પુર્ણાહુતિ કરાશે

ભાવનગર -  સમસ્ત સિંધી સમાજના અનન્ય શ્રધ્ધા અને આસ્થાના કેન્દ્ર ભગવાન ઝુલેલાલના ચાલીસા વ્રતનો આવતીકાલ તા.૯ ઓગસ્ટને રવિવારથી પ્રારંભ થશે. આ વ્રત દરમિયાન ૪૦ દિવસ સુધી લોકો આકરા નિયમો પાળીને વ્રત કરશે અને છેલ્લા દિવસે દરિયામાં મટકી પ્રવહન કરીને  વ્રતની પુર્ણાહુતિ કરવામાં આવશે.

સિંધી સમાજ આયોજિત આ ચાલીસાના દિવસોમાં શહેરના ઝુલેલાલ મંદિર, સિન્ધુનગર, રસાલા કેમ્પ, સંત પ્રભારામ આશ્રમ અને રૃપમ ચોક ખાતેના મંદિરોમાં ચાલીસાની વિશેષ પૂજા, સત્સંગ, ભજન-કિર્તન અને આરતી સહિતના વિશિષ્ટ આયોજનો પણ કરવામાં આવેલ છે. આ ૪૦ દિવસ દરમિયાન વ્રતધારીઓએ તળેલુ નહિ માત્ર બાફેલુ ખાવાનું, દૂધ અને સફેદ વસ્તુનુું સેવન નહિ કરવાનું, બહેનોએ બ્યુટીપાર્લરની તમામ પ્રક્રિયાનો ત્યાગ કરવાનો, બ્રહ્મચર્ય પાળવાનું સહિતના આકરા નિયમો પાળવાના રહેશે. આ વેળા અખંડ જયોત, ભહેરાણા સાહેબની શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાશે. જે અંગેની તડામાર તૈયારીઓ થઈ રહી છે. આ ધર્મોત્સવને લઈને સિંધી સમાજમાં અનેરો ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.