બોટાદમાં બાઈક આડે ગાય આવતા ચાલકનું ગંભીર ઇજા બાદ મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બોટાદ ટાઉન પોલીસમાં ગુનો નોંધાયો
પ્રિન્સીપાલ બાઇક પર નોકરીએ જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો
ભાવનગર - બોટાદના ગઢડા રોડ પર ગત ૯ જૂન ૨૦૨૬ના રોજ સવારના સમયે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બાઇક ચાલક આધેડનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
મળતી માહિતી મુજબ, બોટાદના મહાદેવનગર ખાતે રહેતા અને ગુરુકુળમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા કમલેશભાઈ ચંદ્રકાંતભાઈ મહેતા (ઉં.વ. ૫૯) પોતાની મોટરસાઇકલ (જીજે-૩૩-એ-૮૧૮૧) લઈને નોકરી પર જઈ રહ્યા હતા. ગઢડા રોડ પર પેટ્રોલ પંપ અને સામે અચાનક ગાય આડી આવતા, ત્યાંથી પસાર થતા રાહદારી કિશોરભાઈ કળથીયા સાઇડમાં ખસવા ગયા હતા. તે વખતે કમલેશભાઈએ બાઇક તેમની પાછળ અથડાવી દીધી હતી અને પોતે રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી.તેમને તાત્કાલિક ભાવનગરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યાં ૧૦ જૂનના રોજ તેમનું મોત થયું હતું. આ બનાવ સંદર્ભે ભરતભાઈ ચંદ્રકાંતભાઈ મહેતાએ બોટાદ ટાઉન પોલીસ મથકમાં બીએનએસએસ. અને મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









