Baroda

વડોદરાવાસીઓએ સ્વચ્છતા અને વૃક્ષારોપણથી સ્વાગતનો સંદેશ આપ્યો : ભૂપેન્દ્ર પટેલ

By GS Team
8 Sep 20261 min read
TukuTouch Logo
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરા પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના નેતૃત્વમાં થયેલા વિકાસ કાર્યોની સરાહના કરી હતી. તેમણે જણાવ્યું કે વડોદરાવાસીઓએ સ્વચ્છતા અને વૃક્ષારોપણથી વડાપ્રધાનનું સ્વાગત કર્યું છે. CMએ રેલવે, રસ્તા અને આવાસ યોજનાઓ સહિત માળખાકીય સુવિધાઓના ઝડપી વિકાસ પર ભાર મૂક્યો. વડાપ્રધાને અશક્ય લાગતા કાર્યો પણ શક્ય બનાવ્યા છે, જેનાથી ગુજરાત વિકાસ પંથે અગ્રેસર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાવાસીઓએ સ્વચ્છતા અને વૃક્ષારોપણથી સ્વાગતનો સંદેશ આપ્યો : ભૂપેન્દ્ર પટેલ

PM Narendra Modi Visit Vadodara : વડોદરામાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયેલા વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરી સરકારની કામગીરી ગણાવી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડોદરાવાસીઓએ સ્વચ્છતા અને વૃક્ષારોપણ કરીને વડાપ્રધાનના સ્વાગતનો સંદેશ આપ્યો છે.
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની શક્તિનો વિશ્વને પરિચય થયો છે. દેશ અને ગુજરાતમાં રેલવે, રસ્તા, રમતગમત સહિતની માળખાકીય સુવિધાઓમાં ઝડપી વિકાસ થયો છે. જે વિઝનને એક સમયે અશક્ય માનવામાં આવતું હતું, તેને વડાપ્રધાને શક્ય કરી બતાવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે રેલવે અને માર્ગોના વિસ્તરણથી કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્રે અવરજવર વધુ સરળ બનશે. ખેડૂતો તેમજ ઉદ્યોગોને પરિવહનની વધુ સારી સુવિધા મળવાથી વિકાસને વેગ મળશે. મુખ્યમંત્રીએ સરકારની આવાસ યોજનાઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે જરૂરિયાતમંદ પરિવારો માટે પાકા મકાનો બનાવવામાં આવ્યા છે, જ્યારે વિવિધ યોજનાઓના માધ્યમથી લોકોને શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવામાં આવ્યું છે.
વડોદરા સહિત ગુજરાતમાં થઈ રહેલા વિવિધ વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે માળખાકીય સુવિધાઓના વિકાસ સાથે ગુજરાત સતત આગળ વધી રહ્યું છે.