Baroda

પોઇચા ખાતે ભાગવત સપ્તાહમાં ગયેલા પરિવારના ઘરેથી 1.94 લાખની ચોરી

By GS Team
13 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરાના મકરપુરામાં આકાશ ગંગા સોસાયટીમાં વેપારી રમેશ સુતરીયાના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. પરિવાર પોઈચા ખાતે ભાગવત સપ્તાહમાં ગયો હતો, ત્યારે 5 થી 11 જુલાઈ દરમિયાન ચોરોએ હાથફેરો કર્યો. તસ્કરો 3.25 તોલા સોનાના દાગીના, ચાંદીના સિક્કા અને રોકડા 85,000 સહીત કુલ 1.94 લાખની મત્તા ચોરી ફરાર થઇ ગયા હતા. માંજલપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પોઇચા ખાતે ભાગવત સપ્તાહમાં ગયેલા પરિવારના ઘરેથી 1.94 લાખની ચોરી

Vadodara Theft Case : વડોદરાના મકરપુરામાં આકાશવાણીની પાછળ આકાશ ગંગા સોસાયટીમાં રહેતા વેપારી રમેશ ઉકાભાઇ સુતરીયાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે અમે નર્મદા જિલ્લાના પોઇચા ખાતે નિલકંઠધામમાં એક સપ્તાહ માટે ભાગવત સપ્તાહનો કાર્યક્રમ રાખ્યો હતો. અમે અમારા પરિવાર સાથે પાંચ જુલાઈના રોજ ઘરને તાળું મારી નીલકંઠધામ ગયા હતા. 7મી તારીખે મારો પુત્ર ભગવાનજીના પહેરવેશ લેવા માટે ઘરે આવ્યો હતો અને રાત્રે રોકાઈ બીજે દિવસે બપોરે 12:00 વાગે તાળું મારી નીલકંઠધામ ખાતે આવી ગયો હતો. ભગવત સપ્તાહ પૂરી થતાં 11મી તારીખે બપોરે 3:00 વાગ્યે અમે ઘરે આવ્યા ત્યારે દરવાજાનું ટાળું નીચે તૂટેલું હતું અને દરવાજો પણ ખુલ્લો હતો. ઘરમાં જઈને તપાસ કરતા ચોરી થઈ હતી ચોર ટોળકી સવા ત્રણ તોલાના સોનાના દાગીના ચાંદીના સિક્કા તથા રોકડા 85 હજાર મળી કુલ 1.94 લાખની માતા ચોરી ગઈ હતી.