Baroda

ટુ વ્હીલર સ્લિપ થઇ જતા નિવૃત્ત એરફોર્સ જવાનનું મોત

By GS Team
27 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરામાં 22મી તારીખે રાત્રે એરફોર્સના નિવૃત્ત જવાન કે. આનંદકુમાર (ઉં.વ. 60) ટુ-વ્હીલર પર તરસાલી બાયપાસ પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે તેમનું વાહન ડિવાઈડર સાથે અથડાતા સ્લીપ થઈ ગયું હતું. ગંભીર ઈજાઓ થતાં તેમને સયાજી અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં સારવાર દરમિયાન આજે સવારે તેમનું કરુણ મોત નિપજ્યું હતું. કપુરાઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટુ વ્હીલર સ્લિપ થઇ જતા નિવૃત્ત એરફોર્સ જવાનનું મોત

વરસાદની સીઝનમાં ટુ વ્હીલર સ્લિપ થઇ જવાના કેસ વધી ગયા છે. ગત ૨૨ મી તારીખે રાત્રે ટુ વ્હીલર સ્લિપ થઇ જતા ઘાયલ એરફોર્સ જવાનનું સારવાર દરમિયાન મોત થયું છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મકરપુરા રોયલ ગાર્ડન સોસાયટીમાં વિષ્ણુ ટાવરમાં રહેતા કે. આનંદકુમાર (ઉં.વ.૬૦) ગત ૨૨ મી તારીખે ટુ વ્હીલર લઇને ઘરેથી નીકળી તરસાલીમાં રહેતા મિત્રને મળવા જતા હતા. રાત્રે સાડા નવ વાગ્યે તરસાલી બાયપાસ નજીક તેઓનું ટુ વ્હીલર ડિવાઇડર સાથે અથડાતા સ્લિપ થઇ ગયું હતું. કે.આનંદકુમાર રોડ પર પટકાતા તેઓેને માથા, છાતી તથા થાપાના ભાગે ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન આજે સવારે તેઓનું મોત થયું હતું.જે અંગે કપુરાઇ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.