Baroda

વરસાદ ખેંચાતા એપીએમસીમાં વેલાવાળા શાકભાજીની આવક ઘટી

By GS Team
2 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરામાં ચોમાસાના વિલંબથી શાકભાજી બજાર પર સીધી અસર થઈ છે. વરસાદ ખેંચાતા વેલાવાળા શાકભાજીનું ઉત્પાદન ઘટ્યું છે, જેથી APMCમાં લીલા શાકભાજીની આવક ઓછી થઈ છે. પુરવઠો ઘટતાં કંકોડા, પરવળ જેવા શાકભાજીના ભાવ 150 થી 200 રૂપિયા પ્રતિ કિલો થયા છે, જેણે ગૃહિણીઓના બજેટ ખોરવ્યા છે. સારો વરસાદ ન થાય ત્યાં સુધી ભાવવધારો યથાવત રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વરસાદ ખેંચાતા એપીએમસીમાં વેલાવાળા શાકભાજીની આવક ઘટી

વડોદરામાં ચોમાસામાં વિલંબ થતાં તેની સીધી અસર શાકભાજીના બજાર પર જોવા મળી રહી છે. વરસાદ ખેંચાતા ખેડૂતોના ખેતરોમાં વેલા વાળા શાકભાજીનું ઉત્પાદન ઘટયું છે, જેના કારણે વડોદરા એપીએમસીમાં લીલા શાકભાજીની આવક ઓછી થઈ છે. પુરવઠો ઘટતાં મોટાભાગના શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો છે, જેના કારણે ગૃહિણીઓના રસોડાનું બજેટ ખોરવાયું છે.

ખાસ કરીને કંકોડા, પરવળ, દૂધી અને ટીંડોળા જેવા વેલાવાળા શાકભાજીની આવક હજુ સુધી પૂરતા પ્રમાણમાં શરૃ થઈ નથી. સામાન્ય રીતે આ સમયે કંકોડાની આવક શરૃ થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે વરસાદની અનિયમિતતાના કારણે આવક મોડી થઈ છે. પરિણામે અગાઉ રૃ. ૧૫૦ પ્રતિ કિલો વેચાતા કંકોડા હવે રૃ. ૨૦૦ પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. વેપારીઓના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં સારો વરસાદ થશે અને ખેતરોમાંથી આવક વધશે તો જ ભાવમાં રાહત મળવાની શક્યતા છે. ત્યાં સુધી ગ્રાહકોને મોંઘા શાકભાજી ખરીદવા મજબૂર બનવું પડશે. હાલ તો પુરવઠાની અછતના કારણે બજારમાં મોંઘવારીનો માહોલ મળી રહ્યો છે.