Baroda

કોંગ્રેસની 'વિજય કટિબદ્ધ યાત્રા' વિરોધ પ્રદર્શનમાં ફેરવાઈ

By GS Team
26 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરામાં કોંગ્રેસ દ્વારા માંજલપુર પેટાચૂંટણીને અનુલક્ષીને 'વિજય કટિબદ્ધ યાત્રા' યોજાઈ હતી, જે 'વિદ્યાર્થી સંઘર્ષ યાત્રા'માં ફેરવાઈ. પ્રદેશ પ્રમુખ સહિત અનેક નેતાઓ જોડાયા હતા. કાર્યકરોએ NEET કૌભાંડ મુદ્દે પ્લેકાર્ડ સાથે વિરોધ નોંધાવી, PM અને ગૃહમંત્રીની માફીની માંગ કરી. પોલીસે પ્લેકાર્ડ ખેંચી લેતા ઘર્ષણ થયું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

કોંગ્રેસની 'વિજય કટિબદ્ધ યાત્રા' વિરોધ પ્રદર્શનમાં ફેરવાઈ

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે રવિવારે સાંજે માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીને અનુલક્ષીને તુલસીધામ ચાર રસ્તા ખાતેથી કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં 'વિજય કટિબદ્ધ યાત્રા'નું આયોજન કરાયું હતું.

જોકે આ વિજય યાત્રા 'વિદ્યાર્થી સંઘર્ષ યાત્રા'માં ફેરવાઈ ગઈ હતી, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી, પ્રદેશ પ્રમુખ, વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ, કોંગ્રેસના ઉમેદવાર સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. યાત્રા દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ હાથમાં પ્લેકાર્ડ સાથે સત્તાપક્ષ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

'વિદ્યાર્થીઓના સંઘર્ષને સલામ' અને 'ધર્મેન્દ્ર પ્રધાન ઝાંખી હૈ' જેવા લખાણ ધરાવતા પ્લેકાર્ડ સાથે કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે. સાથે જ વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી દેશની માફી માંગે તેવી માગ પણ કરી છે.

આ દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પોલીસે કાર્યકરોના હાથમાંથી પ્લેકાર્ડ ખેંચી લીધા હતા અને કેટલાક પ્લેકાર્ડ ફાડી નાખ્યા હતા.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે આક્ષેપ કર્યો કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું તાનાશાહી સરકાર નમી હોવાનું ઉદાહરણ છે. વધુમાં કહ્યું કે વિદ્યાર્થીઓના આંદોલન દરમિયાન પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ પર થયેલા અત્યાચારની તપાસ હજુ બાકી છે અને સમગ્ર મામલે વડાપ્રધાન તથા કેન્દ્રીય ગૃહમંત્રીએ દેશની માફી માગવી જોઈએ.

ઘટનાને પગલે માંજલપુર વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો હતો.