Baroda

બાંદ્રા ટર્મિનસ-ગોરખપુર સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત, 29 ઓગસ્ટથી અમૃત ભારત એક્સપ્રેસ તરીકે દોડશે

By GS Team
25 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરા: પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધા માટે બાંદ્રા ટર્મિનસ-ગોરખપુર સ્પેશિયલ ટ્રેનને નિયમિત કરી છે. હવે આ ટ્રેન અમૃત ભારત સાપ્તાહિક એક્સપ્રેસ તરીકે દોડશે. 29 ઓગસ્ટ, 2026થી બાંદ્રા ટર્મિનસથી દર શનિવારે રાત્રે 9.45 વાગ્યે ઉપડશે અને 28 ઓગસ્ટ, 2026થી ગોરખપુરથી દર શુક્રવારે સવારે 7.50 વાગ્યે ઉપડશે. આ ટ્રેન બોરીવલી, વડોદરા, સુરત સહિત અનેક સ્ટેશનો પર ઉભી રહેશે. તેનું બુકિંગ 26 ઓગસ્ટ, 2026થી શરૂ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

બાંદ્રા ટર્મિનસ-ગોરખપુર સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત, 29 ઓગસ્ટથી અમૃત ભારત એક્સપ્રેસ તરીકે દોડશે

Vadodara Western Railways : પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને બાંદ્રા ટર્મિનસથી ગોરખપુર વચ્ચે નિયમિત રેલવે કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવવાના હેતુથી બાંદ્રા ટર્મિનસ-ગોરખપુર સ્પેશિયલને નિયમિત કરવામાં આવી છે. હવે આ ટ્રેન બાંદ્રા ટર્મિનસ-ગોરખપુર અમૃત ભારત સાપ્તાહિક એક્સપ્રેસ તરીકે દોડશે.
બાંદ્રા ટર્મિનસ-ગોરખપુર સાપ્તાહિક એક્સપ્રેસ દર શનિવારે રાત્રે 9.45 વાગ્યે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને સોમવારે સવારે 6.45 વાગ્યે ગોરખપુર પહોંચશે. આ ટ્રેનની નિયમિત સેવા 29 ઓગસ્ટ, 2026થી શરૂ થશે.
તે જ રીતે ગોરખપુર-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક એક્સપ્રેસ દર શુક્રવારે સવારે 7.50 વાગ્યે ગોરખપુરથી ઉપડશે અને બીજા દિવસે સાંજે 5.45 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ દિશાની નિયમિત સેવા 28 ઓગસ્ટ, 2026થી શરૂ થશે.
ટ્રેન બંને દિશામાં બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, સુરત, વડોદરા, રતલામ, શામગઢ, ભવાની મંડી, કોટા, ગંગાપુર સિટી, બયાના, આગ્રા ફોર્ટ, ટુંડલા, કાનપુર સેન્ટ્રલ, ઐશબાગ, બાદશાહનગર, ગોંડા, બસ્તી અને ખલીલાબાદ સ્ટેશનો પર રોકાશે.
ટ્રેન નંબર 15086/15085 માટેનું બુકિંગ 26 ઓગસ્ટ, 2026થી તમામ પીઆરએસ કાઉન્ટરો તેમજ આઈઆરસીટીસીની વેબસાઇટ પરથી શરૂ થશે.