Baroda

વ્હાઇટ કોલર ક્રાઇમમાં પોલીસની ઢીલી નિતીના કારણે આરોપી વિદેશ ભાગી ગયો

By GS Team
12 Jul 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં 46 કરોડના વ્હાઇટ કોલર ક્રાઇમમાં 22 આરોપીઓ સામે ગુનો નોંધાયો છે. નિશિત પંચાલ અને સાગરીતોએ બિલ-ભાયલી ખાતે બોગસ દસ્તાવેજો બનાવી, ફ્લેટ્સ અને વિલા વેચી 41 કરોડનું કૌભાંડ આચર્યું. ક્રાઈમ બ્રાન્ચે 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે, પરંતુ મુખ્ય સૂત્રધાર નિશિત પંચાલ ગુનો દાખલ થતાં જ વિદેશ ભાગી ગયો હતો. પોલીસની કાર્યપદ્ધતિ સામે સવાલો ઉભા થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વ્હાઇટ કોલર ક્રાઇમમાં પોલીસની ઢીલી નિતીના કારણે આરોપી વિદેશ ભાગી ગયો

ઘરફોડ ચોરી જેવા ગુનામાં આરોપી ભાગી ના જાય તે માટે પોલીસ શરૃઆતમાં માત્ર અરજી લઇને તપાસ કરે છે. આરોપીને હસ્તગત કર્યા પછી ગુનો દાખલ કરે છે. પરંતુ, ૪૬ કરોડના વ્હાઇટ કોલર ક્રાઇમમાં સંડોવાયેલા આરોપીને પકડયા પહેલા જ પોલીસ ગુનો દાખલ કરી દે છે. જેના કારણે મુખ્ય આરોપી સહિત અન્ય આરોપી વિદેશ રવાના થઇ જાય છે.
વડોદરાના બિલ અને ભાયલી ખાતે ભાગીદારીમાં કન્સ્ટ્રક્શન સાઇટ બનાવનાર અમદાવાદના બિલ્ડર સાથે મકાનો વેચી આપવાના નામે વાતચીત કરનાર નિશિત પંચાલ અને તેના સાગરીતોએ બોગસ દસ્તાવેજો બનાવી વિલા અને ફ્લેટ્સ વેચીને રૃ.૪૧ કરોડનું કૌભાંડ આચર્યું હોવાની જુદી જુદી બે પોલીસ ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઇ છે. જેમાં કુલ ૨૨ આરોપીઓને દર્શાવાયા છે. જે પૈકી છ આરોપીને પોલીસે ઝડપી પાડી સોમવાર સુધીના રિમાન્ડ લીધા છે. આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર ગણાતા ભેજાબાજ નિશિત પંચાલ સામે દોઢ મહિના અગાઉ પણ જેતલપુરની શ્રીનગર સોસાયટીના ફ્લેટ અંગે પોણા પાંચ કરોડની છેતરપિંડીનો ગુનો દાખલ થયો હતો. તે ગુનામાં એવી વિગતો જાણવા મળી છે કે, ગુનો દાખલ થયો તે જ દિવસે આરોપી નિશિત પંચાલ તથા અન્ય આરોપીઓ વિદેશ ભાગી જાય છે. જે અંગે પોલીસની કામગીરી અંગે પ્રશ્નો ઉપસ્થિત થયા છે. હવે પોલીસ જણાવે છે કે, આરોપીને હસ્તગત કરવા માટે એલ.ઓ.સી.ની કાર્યવાહી કરવામંા આવી છે. જો શરૃઆતમાં જ પોલીસે આરોપીને હસ્તગત કરી લીધો હોત તો આ ગુનામાં હજી વધુ પુરાવાઓ પોલીસ મેળવી શકતી.