Astro

ઘરમાં ડસ્ટબિન ક્યાં રાખવું? ખોટી દિશામાં મૂકેલી કચરાપેટી લાવી શકે છે કંગાળી, જાણો વાસ્તુ નિયમો

By GS Team
29 Aug 20262 mins read
TukuTouch Logo
ઘરમાં સ્વચ્છતા માટે ડસ્ટબિન જરૂરી છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર મુજબ તેની યોગ્ય દિશા મહત્વની છે. દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્ય) કે ઉત્તર-પશ્ચિમ (વાયવ્ય) દિશા શુભ ગણાય છે. અહીં કચરો રાખવાથી નકારાત્મક ઊર્જા અટકે છે. ઉત્તર-પૂર્વ (ઈશાન) દિશામાં ડસ્ટબિન ન રાખવું, કારણ કે તે પૂજાસ્થાન માટે છે. મુખ્ય દરવાજા પાસે પણ કચરાપેટી ટાળો, જેથી સકારાત્મક ઊર્જા જળવાઈ રહે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઘરમાં ડસ્ટબિન ક્યાં રાખવું? ખોટી દિશામાં મૂકેલી કચરાપેટી લાવી શકે છે કંગાળી, જાણો વાસ્તુ નિયમો

Correct Direction for Keeping Dustbin: ઘરમાં સ્વચ્છતા રાખવા માટે ડસ્ટબિન હોવું જરૂરી છે. જો કે, વાસ્તુશાસ્ત્રમાં ડસ્ટબિનની દિશા અને સ્થાનને લઈને કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. માનવામાં આવે છે કે, કચરો ઘરમાં નકારાત્મક ઊર્જા લઈને આવે છે. તેથી તેને યોગ્ય જગ્યાએ રાખવાથી ઘરના વાતાવરણમાં સકારાત્મકતા જળવાઈ રહે છે. આવો જાણીએ ઘરમાં ડસ્ટબિન રાખવાની યોગ્ય દિશા અને જરૂરી વાસ્તુ નિયમો…

દક્ષિણ-પશ્ચિમ દિશા શુભ માનવામાં આવે છે

વાસ્તુ અનુસાર, ઘરમાં ડસ્ટબિન રાખવા માટે દક્ષિણ-પશ્ચિમ એટલે કે નૈઋત્ય દિશાને યોગ્ય માનવામાં આવે છે. આ દિશામાં કચરાપેટી રાખવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓનો પ્રવેશ અટકાવી શકાય છે. આ દિશામાં ઘરની જરૂરી વસ્તુઓ સામાન્ય રીતે રાખવામાં આવતી નથી, તેથી લોકોની અવરજવર પણ ઓછી રહે છે. આ ઉપરાંત ઘરમાં કચરાની દુર્ગંધ પણ વધુ ફેલાતી નથી અને સકારાત્મકતા જળવાઈ રહે છે.

દક્ષિણ-પશ્ચિમ ઉપરાંત ઉત્તર-પશ્ચિમ એટલે કે વાયવ્ય ખૂણો પણ ડસ્ટબિન રાખવા માટે યોગ્ય સ્થાન માનવામાં આવે છે. આ ઉપરાંત દક્ષિણ, દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમ તેમજ ઉત્તર-પશ્ચિમ જેવા સ્થાનોને પણ કચરો રાખવા માટે યોગ્ય માનવામાં આવે છે. જો કે, તમારા ઘરની રચના પ્રમાણે સમગ્ર ઘરના કચરા માટે કઈ જગ્યા યોગ્ય રહેશે તે નક્કી કરી શકો છો.

ઉત્તર-પૂર્વ દિશામાં ડસ્ટબિન ન રાખવું

વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઉત્તર-પૂર્વ એટલે કે ઈશાન કોણમાં ક્યારેય ડસ્ટબિન ન રાખવું જોઈએ. આ દિશાને પૂજા અને સકારાત્મક ઊર્જા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો આ દિશામાં તમારા ઘરમાં મંદિર હોય તો મંદિરની સફાઈમાંથી નીકળતા કચરાને એક કપડાંની થેલીમાં ભરીને વહેતા પાણીમાં વિસર્જિત કરવાની માન્યતા છે. આ ઉપરાંત ઉત્તર અને પૂર્વ દિશામાં પણ કચરાપેટી રાખવાનું ટાળવું જોઈએ. માનવામાં આવે છે કે, આ જગ્યાઓ પર કચરો રાખવાથી ઘરની સકારાત્મક ઊર્જા પ્રભાવિત થઈ શકે છે અને તેના કારણે ઘરમાં તણાવ અથવા આર્થિક સમસ્યાઓ વધી શકે છે.

મુખ્ય દરવાજાથી ડસ્ટબિન દૂર રાખો

ડસ્ટબિનને ઘરના મુખ્ય દરવાજા પર અથવા તેની આસપાસ બિલકુલ ન રાખવું જોઈએ. માન્યતા અનુસાર, મુખ્ય દરવાજા દ્વારા જ દેવી-દેવતાઓનું ઘરમાં આગમન થાય છે. આ જ સ્થાનથી સકારાત્મક ઊર્જા ઘરમાં પ્રવેશ કરે છે. તેથી અહીં કચરો રાખવાનું ટાળવું વધુ સારું માનવામાં આવે છે. આ રીતે ઘરની સ્વચ્છતા માટે ડસ્ટબિન રાખવું જરૂરી છે, પરંતુ વાસ્તુની માન્યતાઓ અનુસાર તેને યોગ્ય સ્થાન પર રાખવું પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જેથી ઘરમાં સકારાત્મક વાતાવરણ જળવાઈ રહે.

નોંધ: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોકવાયકાઓ પર આધારિત છે, જેનો ઉદ્દેશ્ય માત્ર માહિતી પહોંચાડવાનો છે. 'ગુજરાત સમાચાર' આ વાતોની સત્યતા કે તર્કસંગતતાની પુષ્ટિ કરતું નથી. વાચકોએ કોઈપણ નિર્ણય લેતા પહેલા સંબંધિત વિષયના નિષ્ણાત અથવા શાસ્ત્રજ્ઞની સલાહ લેવી હિતાવહ છે.