Astro

મૃત્યુના 24 કલાક પહેલા શરીરમાં શું થાય છે? ગરુડ પુરાણમાં આપેલા આ 5 સંકેતો જાણીને રૂંવાડા ઊભા થઈ જશે

By GS Team
2 Jul 20263 mins read
TukuTouch Logo
ગરુડ પુરાણ અનુસાર, મૃત્યુના 24 કલાક પહેલાં માનવ શરીરમાં અનેક ફેરફારો થાય છે. વ્યક્તિની જ્ઞાનેન્દ્રિયો કામ કરવાનું બંધ કરે છે, આંખોની રોશની ધૂંધળી થાય છે, અને બોલવાની ક્ષમતા ઘટે છે. જીવનના સારા-ખરાબ કર્મો ફિલ્મની જેમ દેખાય છે, અને શરીરમાંથી એક ખાસ સુગંધ આવવા લાગે છે. અંતિમ ક્ષણોમાં યમદૂતો દેખાય છે અને આત્મા દેહત્યાગ કરે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મૃત્યુના 24 કલાક પહેલા શરીરમાં શું થાય છે? ગરુડ પુરાણમાં આપેલા આ 5 સંકેતો જાણીને રૂંવાડા ઊભા થઈ જશે

Signs Of Death Before 24 Hours: ગરુડ પુરાણમાં મનુષ્યના મૃત્યુ અને ત્યારપછીની સફર વિશે વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. આ ગ્રંથ પ્રમાણે જ્યારે કોઈ વ્યક્તિનો મૃત્યુનો સમય નજીક આવે છે, ત્યારે તેના શરીરમાં અનેક પ્રકારના ફેરફારો થવા લાગે છે.

આત્મા દેહત્યાગ કરે તેના બરાબર એક દિવસ એટલે કે 24 કલાક પહેલાં જ માનવ શરીર આપમેળે કેટલાક સંકેતો આપવાનું શરૂ કરી દે છે. આ દરમિયાન સૌથી મોટો ફેરફાર એ થાય છે કે વ્યક્તિની તમામ જ્ઞાનેન્દ્રિયો ધીમે-ધીમે કામ કરવાનું બંધ કરી દે છે. તેની આંખ, કાન, નાક, જીભ અને ત્વચાની શક્તિ ખતમ થવા લાગે છે.

આંખોની રોશની

મૃત્યુના બરાબર એક દિવસ પહેલાં વ્યક્તિની આંખોની રોશની સૌથી પહેલા ધૂંધળી થવા લાગે છે. તેને પોતાની આસપાસ બેઠેલા લોકો અને વસ્તુઓ સ્પષ્ટ નથી દેખાતી. ગરુડ પુરાણ પ્રમાણે આવા સમયે વ્યક્તિને તેની બિલકુલ નજીક ઊભેલા લોકો પણ નજર નથી આવતા.

તે વ્યક્તિને ચારેતરફ માત્ર અંધકાર અથવા તો કેટલીક વિચિત્ર પડછાયા દેખાવા લાગે છે. આ સાથે જ તેની બોલવાની ક્ષમતા પણ ખતમ થઈ જાય છે. આવી સ્થિતિમાં તે કંઈક કહેવા માંગે તો પણ તેનો અવાજ ગળામાં જ અટકી જાય છે અને મોંમાંથી માત્ર ધ્રુજારી જ નીકળે છે.

કર્મો આંખો સામે તરવા લાગે છે

બીજું મોટું રહસ્ય એ છે કે, મૃત્યુની નજીક પહોંચેલી વ્યક્તિને તેના જીવનના સારા અને ખરાબ કર્મો એક ફિલ્મની જેમ દેખાવા લાગે છે. અંતિમ સમયમાં મનુષ્યની સ્મરણશક્તિ અત્યંત તેજ બની જાય છે. તેણે બાળપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધી જે પણ કર્મો કર્યા હોય છે, તે તમામ તેની આંખોની સામે તરવા લાગે છે.

આ દરમિયાન તેણે કોને દુઃખ પહોંચાડ્યું છે અને ક્યાં પુણ્ય કમાયું છે, તે બધું જ તેને યાદ આવવા લાગે છે. પોતાના ખરાબ કર્મોને જોઈને આત્મા અંદરને અંદર તરફડવા લાગે છે અને તેના ચહેરા પર એક અજીબ ડર સ્પષ્ટપણે જોઈ શકાય છે.

શરીરમાંથી સુગંધ આવે છે

શારીરિક ફેરફારોની વાત કરીએ તો મૃત્યુના 24 કલાક પહેલાં માનવ શરીરમાંથી એક ખાસ પ્રકારની સુગંધ આવવા લાગે છે. વૈજ્ઞાનિક ભાષામાં આ પ્રક્રિયાને શરીરના અંગોનું કામકાજ બંધ થવું કહેવામાં આવે છે, પરંતુ ગરુડ પુરાણ આ સંકેતને યમદૂતોના આગમન સાથે જોડે છે.

આ સમયે વ્યક્તિના શ્વાસોચ્છવાસ અત્યંત ભારે થઈ જાય છે. તેની જીભ ધીમે-ધીમે ઉલટવા લાગે છે અને તાળવા સાથે ચોંટવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન પાણીના એક-એક ટીપાં માટે વ્યક્તિ તરસવા લાગે છે, કારણ કે તેનું આખું ગળું અને મોં અંદરથી સુકાઈ જાય છે.

શરીર ઠંડુ પડી જાય છે

અંતિમ સમયમાં વ્યક્તિની ભૂખ અને તરસ સંપૂર્ણપણે નષ્ટ થઈ જાય છે. તેનું શરીર ધીમે-ધીમે ઠંડું પડવા લાગે છે. સૌથી પહેલાં પગના પંજા અને હાથ ઠંડા થાય છે અને ત્યારબાદ આ ઠંડક હૃદય સુધી પહોંચે છે.

યમરાજના દૂત દેખાય છે

ગરુડ પુરાણ પ્રમાણે જ્યારે આત્મા દેહત્યાગ કરવાના બિલકુલ નજીક હોય છે, ત્યારે તેને યમરાજના દૂતો દેખાવા લાગે છે. યમદૂતોને જોઈને વ્યક્તિ અત્યંત ભયભીત થઈ જાય છે અને તેની આંખો ઉપરની તરફ ખેંચાઈ જાય છે. ત્યારબાદ આત્મા સંપૂર્ણપણે શરીરનો ત્યાગ કરીને પોતાની નવી સફર પર નીકળી જાય છે.