Surya Grahan 2026: 17 ફેબ્રુઆરીના રોજ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ લાગવા જઈ રહ્યું છે. આ સૂર્યગ્રહણ બપોરે 03:26 થી સાંજે 07:57 વાગ્યા સુધી ચાલશે. જોકે આ સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાશે અને તેનો સૂતક કાળ પણ માન્ય રહેશે નહીં. પરંતુ આ દિવસ એક ખાસ ઘટનાને કારણે ખૂબ જ વિશેષ રહેશે. વાસ્તવમાં આ આ દિવસે કુંભ રાશિમાં પંચગ્રહી યોગ બનશે. 17 ફેબ્રુઆરીના રોજ કુંભ રાશિમાં રાહુ, સૂર્ય, બુધ, શુક્ર અને ચંદ્ર મળીને પંચગ્રહી યોગ બનાવશે. સૂર્યગ્રહણ પર બનવા જઈ રહેલો આ પંચગ્રહી યોગ ચાર રાશિઓ માટે શુભ માનવામાં આવી રહ્યો છે.
મેષ રાશિ
સૂર્યગ્રહણના દિવસે બનવા જઈ રહેલો પંચગ્રહી યોગ મેષ રાશિના જાતકો માટે શુભ માનવામાં આવી રહ્યો છે. તમને કરિયરમાં આગળ વધવાની નવી તકો મળી શકે છે. લાંબા સમયથી બેરોજગાર બેઠેલા જાતકોને ટૂંક સમયમાં કોઈ સારા સમાચાર મળી શકે છે. નોકરીમાં પ્રમોશન અને પગાર વધારો શક્ય છે. બિઝનેસ સાથે સંકળાયેલા જાતકો માટે પણ આ સમય અનુકુળ રહેશે. તમારો નફો ઝડપથી વધશે. ખર્ચમાં ઘટાડો થશે અને મન પ્રસન્ન રહેશે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે આ પંચગ્રહી યોગ સારો રહેશે. આ રાશિના જાતકોને કરિયરમાં ગ્રોથ મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને આવકના નવા સ્ત્રોત ઉભરી શકે છે. રમતગમત અથવા ફિટનેસ સાથે સંબંધિત ક્ષેત્રોમાં કામ કરતા જાતકો માટે આ સમયગાળો ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યો છે. નવો બિઝનેસ અથવા નવા પ્રોજેક્ટ્સ પર કામ કરવા માટે આ સમય સારો છે.
તુલા રાશિ
સૂર્યગ્રહણ પર બની રહેલો પંચગ્રહી યોગ તુલા રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો લાવશે. ક્યાંક ફસાયેલા અથવા તો અટકેલા પૈસા પાછા મળવાની શક્યતા છે. દેવામાં ડૂબેલા પૈસા બમણા નફા સાથે પાછા મળશે. નવી નોકરી અથવા નવા બિઝનેસની શરૂઆત થઈ શકે છે. વાહન અથવા સંપત્તિ સંબંધિત સુખ મળી શકે છે. તમારા પર મંડરાઈ રહેલી કોઈ મોટી સમસ્યા દૂર થશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.
ધન રાશિ
સૂર્યગ્રહણ અને પંચગ્રહી યોગનો દુર્લભ સંયોગ તમારા ભાગ્યને મજબૂત બનાવશે. ધનની પ્રાપ્તિ અપેક્ષા કરતા પ્રમાણમાં સરળ રહેશે. ઘર અથવા સંપત્તિ ખરીદવાના યોગ પણ બની શકે છે. પરિવારના કોઈ સભ્યની સિદ્ધિથી તમારું મન પ્રસન્ન રહેશે. નવું કામ શરૂ કરવા માટે સમય અનુકૂળ દેખાઈ રહ્યો છે. બિન-આવશ્યક વસ્તુઓ પર ખર્ચ નિયંત્રણમાં રહેશે. તમારી ખાવા-પીવાની આદતોમાં સુધારો થશે, જેનાથી તમારા સ્વાસ્થ્યમાં સારા ફેરફારો આવશે.


