Get The App

લગ્ન માટે કેટલા ગુણ મળવા જરૂરી? જાણો કુંડળી મિલનના ખાસ નિયમો

Updated: Apr 10th, 2026

GS TEAM

Google News
Google News
Kundli Matching


Kundli Matching: હિન્દુ સંસ્કૃતિમાં લગ્ન એ બે આત્માઓનું મિલન મનાય છે, તેથી લગ્ન નક્કી કરતા પહેલાં છોકરા અને છોકરીની જન્મ પત્રિકા એટલે કે કુંડળી મેળવવાની પરંપરા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કુંડળી દ્વારા જ નક્કી થાય છે કે ભાવિ દંપતી એકબીજા માટે કેટલા યોગ્ય છે. જ્યોતિષ અનુસાર, જન્મ પત્રિકામાં રહેલા નાડી, ગણ, યોનિ, રાશિ અને નક્ષત્રના આધારે ગુણ મેળવવામાં આવે છે.

36 ગુણનું ગણિત અને સુખી દાંપત્ય

જ્યોતિષ શાસ્ત્રમાં કુલ 36 ગુણ દર્શાવવામાં આવ્યા છે. વિદ્વાનોનું માનવું છે કે છોકરા અને છોકરીના જેટલા વધારે ગુણ મળે, તેમનું લગ્નજીવન તેટલું જ વધુ સુખી અને શાંતિપૂર્ણ રહે છે. લગ્ન માટે ઓછામાં ઓછા 18 ગુણ મળવા અનિવાર્ય છે. જો 18થી ઓછા ગુણ મળતા હોય તો જ્યોતિષીઓ લગ્ન ન કરવાની સલાહ આપે છે, કારણ કે આવા કિસ્સામાં લગ્નજીવન કષ્ટદાયક બની શકે છે અને દંપતીએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો: વાંચો તમારું 10 એપ્રિલ 2026નું રાશિ ભવિષ્ય

શ્રેષ્ઠ લગ્નજીવન માટે કેટલા ગુણ જોઈએ?

જેમની કુંડળીમાં 24થી વધુ ગુણ મળે છે, તેમનું વૈવાહિક જીવન ખૂબ જ ખુશહાલ અને સમૃદ્ધ રહે છે. ગુણ મેળવતી વખતે માત્ર સંખ્યા જ નહીં, પણ અન્ય ગ્રહદોષો પર પણ ધ્યાન આપવામાં આવે છે. ખાસ કરીને 'માંગલિક દોષ'નો વિચાર કરવો જરૂરી છે; સામાન્ય રીતે માંગલિક છોકરા કે છોકરીના લગ્ન માંગલિક પાત્ર સાથે જ કરવા યોગ્ય મનાય છે. આ ઉપરાંત, કુંડળીના સાતમા ભાવમાં કયો ગ્રહ બેઠો છે તેના પરથી લગ્નજીવનના સુખનો ચોક્કસ અંદાજ લગાવી શકાય છે.

લગ્ન માટે કેટલા ગુણ મળવા જરૂરી? જાણો કુંડળી મિલનના ખાસ નિયમો 2 - image