Astro

શ્રાવણમાં શનિદેવ વક્રી થતાં 4 રાશિના જાતકોની ચાંદી જ ચાંદી!

By GS Team
13 Aug 20262 mins read
TukuTouch Logo
શ્રાવણ માસમાં શનિદેવ મીન રાશિમાં વક્રી થયા છે, જે ડિસેમ્બર 2026 સુધી રહેશે. જ્યોતિષશાસ્ત્ર મુજબ, વૃષભ, મિથુન, મકર અને કુંભ રાશિના જાતકો માટે આ પરિવર્તન અત્યંત શુભ ફળદાયી રહેશે. તેમને ધનલાભ, કારકિર્દીમાં પ્રગતિ અને અટકેલા કાર્યોમાં સફળતા મળશે. શનિવારે શિવલિંગ પર જળ-કાળા તલ ચઢાવી, દીવો કરી અને દાન કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

શ્રાવણમાં શનિદેવ વક્રી થતાં 4 રાશિના જાતકોની ચાંદી જ ચાંદી!

shani Vakri: હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ માસમાં ન્યાયના દેવતા શનિદેવે પોતાની વક્રી ચાલથી મીન રાશિમાં બિરાજમાન થઈ ચૂક્યા છે, જે ડિસેમ્બર 2026 સુધી ચાલુ રહેશે. સામાન્ય રીતે જ્યોતિષશાસ્ત્રમાં શનિની વક્રી ચાલને કષ્ટકારી માનવામાં આવે છે, પરંતુ કેટલીક રાશિઓ માટે મીન રાશિમાં વક્રી શનિનો આ પ્રભાવ અત્યંત શુભ, ધન-સમૃદ્ધિ અને અટકેલા કાર્યોને પૂરા કરનારો સાબિત થશે.

વૃષભ રાશિ

શ્રાવણ મહિનામાં અગિયારમા (લાભ)માં શનિનું ગોચર તમારી આવકમાં વધારો અને નવી નાણાકીય તકો લાવશે. લાંબા સમયથી અટકેલા પ્રોજેક્ટ્સ પૂર્ણ થશે અને જૂના રોકાણોથી મોટો લાભ મળી શકે છે. કરિયરમાં પ્રગતિ અને નવી બિઝનેસની યોજનાઓ સફળ થશે.

મિથુન રાશિ

દસમા (કર્મ) ભાવમાં શનિનું ગોચર તમારા કાર્યક્ષેત્રમાં અચાનક સફળતાના યોગ બનાવશે. નોકરી કરતા જાતકોને પ્રમોશન, નવી જવાબદારીઓ અથવા સારી નોકરીની તકો મળી શકે છે. પૈતૃક સંપત્તિ સંબંધિત મામલે સકારાત્મક પરિણામ પ્રાપ્ત થશે.

મકર રાશિ

ત્રીજા ભાવમાં શનિની વક્રી ગતિથી તમારા પરાક્રમ, સાહસ અને આત્મવિશ્વાસમાં વધારો થશે. બિઝનેસ સબંધિત યાત્રાઓ લાભદાયી રહેશે અને નવા સંપર્કો બનશે. તમે તમારા વિરોધીઓ પર વિજય મેળવશો અને નાની-મોટી સમસ્યાઓનો સરળતાથી ઉકેલ આવશે.

કુંભ રાશિ

બીજા (ધન) ભાવમાં વક્રી શનિ અચાનક ગુપ્ત અથવા અચાનક ધન લાભના દ્વાર ખોલશે. તમારી વાણીનો પ્રભાવ વધશે અને તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત થશે. સ્થાવર મિલકત અથવા વાહન ખરીદવાના યોગ બનશે.

શ્રાવણમાં શનિદેવની કૃપા પ્રાપ્ત કરવાના વિશેષ ઉપાય

  • શ્રાવણ મહિનાના દર શનિવારે શિવલિંગ પર જળ અને કાળા તલ અર્પણ કરો.
  • પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો.
  • "ૐ શં શનૈશ્ચરાય નમઃ" મંત્રનો જાપ કરો અને ગરીબો અને જરૂરિયાતમંદોને કાળા જૂતા, વસ્ત્રો અથવા અનાજનું દાન કરો.