જન્માષ્ટમી 2026 પર તુલસીના આ ચમત્કારી ઉપાયો: મા લક્ષ્મી અને કાન્હાની કૃપાથી ઘરમાં થશે ધન વર્ષા!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Krishna Janmashtami 2026 Tulsi Upay: કૃષ્ણ જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર ભગવાન શ્રીકૃષ્ણનો પ્રાગટ્યોત્સવ ઉજવવા અને તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે સૌથી ઉત્તમ અવસર માનવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણને તુલસીપત્ર (તુલસીના પાન) અત્યંત પ્રિય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર તુલસીજી વિના કાન્હાનો કોઈ પણ ભોગ કે પૂજા અધૂરા માનવામાં આવે છે. જન્માષ્ટમીના દિવસે તુલસી સંબંધિત કેટલાક ખાસ ઉપાયો કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ તેમજ માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ જળવાઈ રહે છે, જ્યારે કેટલીક ભૂલો કરવાથી બચવું પણ એટલું જ જરૂરી છે.
કાન્હાના ભોગમાં તુલસીપત્ર અર્પણ કરો
જન્માષ્ટમી પર ભગવાન શ્રીકૃષ્ણને પંજીરી, માખણ-મિશ્રી કે પંચામૃતનો ભોગ ધરાવતી વખતે તેમાં તુલસીનું પાન અવશ્ય મૂકવું જોઈએ. માન્યતા છે કે તુલસીના પાન વગર શ્રીકૃષ્ણ ભોગ સ્વીકારતા નથી.
તુલસીજીની પરિક્રમા અને દીપક
જન્માષ્ટમીની સાંજે તુલસીના છોડ પાસે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો અને 'ૐ નમો ભગવતે વાસુદેવાય' મંત્રનો જાપ કરતા કરતા તુલસીજીની 11કે 21 વખત પરિક્રમા કરવી જોઈએ. આ ઉપાય કરવાથી ઘરમાંથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને સુખ-શાંતિનો વાસ થાય છે.
મનોકામના પૂર્તિ માટે લાલ ચુંદડી અને નાડાછડી
આ શુભ દિવસે તુલસીજીને નવી લાલ ચુંદડી ઓઢાડવી અને તેમના થડમાં કલાવ (નાડાછડી) બાંધીને પોતાની મનોકામના ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ રાખવી.
તુલસીના માંજરનો અચૂક ઉપાય
જો તુલસીના છોડ પર માંજર આવ્યા હોય તો જન્માષ્ટમીના દિવસે થોડાક માંજર તોડીને ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં અર્પણ કરવા. આમ કરવાથી નાણાકીય સમસ્યાઓ દૂર થાય છે અને આર્થિક સ્થિતિમાં સુધારો આવે છે.
વૈવાહિક જીવનમાં મધુરતા માટે
જો પતિ-પત્ની વચ્ચે તણાવ રહેતો હોય તો જન્માષ્ટમીના દિવસે તુલસીના છોડ પાસે બેસીને રાધા-કૃષ્ણનું ધ્યાન ધરવું અને તુલસીજીને સુહાગની સામગ્રી અર્પણ કરવી.
જન્માષ્ટમી પર તુલસી સંબંધિત આ ભૂલો ન કરવી
તુલસીના પાન ન તોડવા: જન્માષ્ટમી કે કોઈ પણ મોટા તહેવાર, રવિવાર અને એકાદશીના દિવસે તુલસીના પાન તોડવા વર્જિત માનવામાં આવ્યા છે. જો પૂજા કે ભોગ માટે તુલસીના પાન જોઈતા હોય તો એક દિવસ પહેલા (સપ્તમીના દિવસે) જ તોડીને રાખી લેવા અથવા કુંડાની આસપાસ જાતે જ ખરી પડેલા તુલસીના પાનનો ઉપયોગ કરવો.
અશુદ્ધ હાથે તુલસીને ન સ્પર્શવું: સ્નાન કર્યા વિના કે અશુદ્ધ વસ્ત્રો પહેરીને તુલસીના છોડને સ્પર્શ કરવો નહીં.
ખંડિત તુલસી અર્પણ ન કરવી: તુલસીના પાન ક્યારેય વાસી માનવામાં આવતા નથી, છતાં ધ્યાન રાખવું કે અર્પણ કરવામાં આવતું પાન તૂટેલું ન હોય.
તુલસીજી પાસે ગંદકી ન રાખવી: જ્યાં તુલસીનો છોડ હોય ત્યાં જોડા-ચંપલ, સાવરણી કે કચરો ન રાખવો. જન્માષ્ટમીના દિવસે તુલસીજીની આસપાસની જગ્યા એકદમ સાફ-સુથરી રાખવી.




