Ahmedabad

અમદાવાદ: વાડજ રામાપીરના ટેકરા પાસે ડ્રેનેજ કામ દરમિયાન ભેખડ ધસી પડી, દટાયેલા શ્રમિકને બચાવાયો

By GS Team
23 Aug 20261 min read
TukuTouch Logo
અમદાવાદના વાડજ રામાપીરના ટેકરા પાસે ડ્રેનેજ કામગીરી દરમિયાન ભેખડ ધસી પડી હતી. સેક્ટર-2 રિડેવલપમેન્ટના કામમાં એક શ્રમિક માટીમાં દટાયો હતો. સ્થાનિકોએ તુરંત બચાવ કામગીરી હાથ ધરી શ્રમિકને બહાર કાઢ્યો હતો. તેને ઈજા પહોંચી હોવાની માહિતી છે. વાડજ પોલીસે તપાસ હાથ ધરી છે, સદનસીબે કોઈ જાનહાનિ નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: વાડજ રામાપીરના ટેકરા પાસે ડ્રેનેજ કામ દરમિયાન ભેખડ ધસી પડી, દટાયેલા શ્રમિકને બચાવાયો

Ahmedabad News: અમદાવાદના વાડજ વિસ્તારમાં રામાપીરના ટેકરા પાસે ડ્રેનેજની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડવાની ઘટના સામે આવી છે. ડ્રેનેજનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક માટીની ભેખડ ધસી પડતા એક શ્રમિક તેમાં દટાયો હતો.

વાડજ રામાપીરના ટેકરા પાસે ડ્રેનેજ કામ દરમિયાન ભેખડ ધસી પડી

ઘટનાની જાણ થતાં સ્થાનિકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને દટાયેલા શ્રમિકને બહાર કાઢવા માટે બચાવ કામગીરી શરૂ કરી હતી. સ્થાનિકોએ મહેનત કરીને શ્રમિકને ભેખડમાંથી બહાર કાઢ્યો હતો.

image.png

દટાયેલા શ્રમિકને બચાવાયો

પ્રાથમિક માહિતી મુજબ, ઘટના સેક્ટર-2 રિડેવલપમેન્ટની કામગીરી દરમિયાન બની હોવાનું જણાય છે. શ્રમિકને ઈજા પહોંચી હોવાની માહિતી મળી છે. સમગ્ર ઘટનાને લઈને તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

image.png

પોલીસે શું કહ્યું?

આ અંગે વાડજ પોલીસ સ્ટેશનના PIએ જણાવ્યું કે, 'આજે(23 ઓગસ્ટ) બપોર પછી આ ઘટના ઘટી હતી. આ ઘટના કેવી રીતે થઈ તે અંગે તપાસ ચાલી રહી છે. જો કે, અત્યાર સુધી કોઈની જાનહાની ન થઈ હોવાનું જાણવા મળ્યું છે.'