અમદાવાદ સ્ટેશન પર 3 મહિના માટે જોધપુર–હડપસર ટ્રેનનું સ્ટોપેજ બંધ, આ સ્ટેશન પર રોકાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jodhpur Hadapsar Express Sabarmati Station Stoppage: અમદાવાદ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ કાર્યને કારણે જોધપુર–હડપસર–જોધપુર દૈનિક એક્સપ્રેસ ટ્રેન નંબર 20495/20496 અમદાવાદ સ્ટેશનની જગ્યાએ સાબરમતી સ્ટેશન પર રોકાશે. આમ, આગામી 21 ઓગસ્ટથી 21 નવેમ્બર 2026 સુધી આ ટ્રેનનું અમદાવાદ સ્ટેશન પરનું સ્ટોપેજ અસ્થાયી રીતે બંધ રહેશે.
અમદાવાદ સ્ટેશન પર 3 મહિના માટે જોધપુર–હડપસર ટ્રેનનું સ્ટોપેજ બંધ
જોધપુર-હડપસર ટ્રેનનું સ્ટોપેજ અમદાવાદ સ્ટેશનની જગ્યાએ સાબરમતી સ્ટેશન પર આપવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદ આવતા-જતા મુસાફરોએ સ્ટોપેજને લઈને ખાસ નોંધ લેવી. પ્લેટફોર્મની મર્યાદિત ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા આ નિર્ણય લેવાયો છે.
સાબરમતી સ્ટેશને ટ્રેન ઊભી રહેશે
નોંધનીય છે કે, ટ્રેન નંબર 20495 જોધપુરથી ઉપડ્યા બાદ અમદાવાદના સાબરમતી ખાતે સવારે 5:20 વાગ્યે પહોંચશે અને 10 મિનિટ રોકાયા બાદ ઉપડશે. જ્યારે હડપસરથી પરત આવતી ટ્રેન નંબર 20496 સવારે 7:20 વાગ્યે સાબરમતી સ્ટેશન ખાતે પહોંચશે અને 7:30 વાગ્યે આગળ રવાના થશે.











