અમદાવાદ: ધોળકાના ખરાંટી ગામે તળાવમાં ડૂબી જવાથી યુવકનું મોત, ઘટનાના બીજા દિવસે મળ્યો મૃતદેહ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Dholka News: અમદાવાદના ધોળકા તાલુકાના ખરાંટી ગામે એક અત્યંત દુઃખદ ઘટના ઘટી છે. જેમાં ખરાંટી ગામના દેવીપૂજક વાસમાં રહેતા 32 વર્ષીય કેતનકુમાર આત્મારામભાઈ બાકરોલીયાનું તળાવના ઊંડા પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યું છે.
અમદાવાદ: ધોળકાના ખરાંટી ગામે તળાવમાં ડૂબી જવાથી યુવકનું મોત
મળતી માહિતી મુજબ, ગત 15 સપ્ટેમ્બરના રોજ બપોરના ત્રણેક વાગ્યે કેતનકુમાર ગામના તળાવમાં માછલી પકડવા માટે ગયા હતા. આ દરમિયાન અચાનક પગ લપસી જતાં ઊંડા પાણીમાં તેમનો ગરકાવ થયો હતો. ધોળકા નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા બે દિવસની શોધખોળ બાદ એટલે કે 17 સપ્ટેમ્બરના રોજ સવારે 7 વાગ્યાની આસપાસ તળાવમાંથી કેતનનો મૃતદેહ મળી આવ્યો હતો.
ઘટનાના બીજા દિવસે મળ્યો મૃતદેહ
આ અંગે મૃતકના પિતા આત્મારામભાઈ બાકરોલીયાએ પોલીસને જાણ કરી હતી. ઘટના અંગે કોઠ પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે.
સમગ્ર મામલે પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને કંટ્રોલ રૂમ દ્વારા બનાવ વાળી જગ્યાએ એફ.એસ.એલ. (FSL)ની ટીમને મોકલવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. યુવકના અચાનક અવસાનથી સ્થાનિક પંથક અને પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.




