Ahmedabad

અમદાવાદ: સાબરમતીમાં રસ્તો ક્રોસ કરતા વૃદ્ધને એસટી બસે ટક્કર મારી, ઘટનાસ્થળે જ નીપજ્યું મોત

By GS Team
27 Aug 20261 min read
TukuTouch Logo
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ONGC કટ પાસે ST બસની અડફેટે 70 વર્ષીય વૃદ્ધ ગજાજી મનરૂપજી મારવાડીનું કરુણ મોત નીપજ્યું છે. સવારે કામ અર્થે નીકળેલા વૃદ્ધ રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે બસે ટક્કર મારી હતી. સાબરમતી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી, બસ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: સાબરમતીમાં રસ્તો ક્રોસ કરતા વૃદ્ધને એસટી બસે ટક્કર મારી, ઘટનાસ્થળે જ નીપજ્યું મોત

Ahmedabad Road Accident: અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ઓએનજીસી કટ પાસે એસટી બસની અડફેટે આવતાં 70 વર્ષીય વૃદ્ધનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને બસ ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર, અમદાવાદની રેલવે કોલોનીમાં જવાહર ચોક, ભૂતબંગલા પાસે આવેલા સાહેબપુરાના છાપરામાં રહેતા ગજાજી મનરૂપજી મારવાડી (ઉંમર વર્ષ 70) સવારે કામ અર્થે નીકળ્યા હતા. તે સાબરમતી ચાર રસ્તા નજીક આવેલા ઓએનજીસી કટ પાસેથી પગપાળા રસ્તો ક્રોસ કરી રહ્યા હતા, તે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી એસ.ટી. બસના ચાલકે તેમને અડફેટે લીધા હતા.

બસની ટક્કર વાગવાને કારણે ગજાજી મારવાડી ગંભીર રીતે ઘવાયા હતા અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં જ સાબરમતી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને બસ ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.