BIG NEWS
'ભૂલ મારી છે તો વડાપ્રધાન મોદીનો વિરોધ કેમ?', ક્ષત્રિયોના દેખાવ સામે રૂપાલાએ વ્યથા ઠાલવી
By: gujaratsamachar.com | Updated at: 27 Apr 2024 7:30 AM (IST)
April 27, 2024 | 8:13 AM
'ભાજપના જેવા કામ ટીવી પર બતાવાય છે તેવું રિયલમાં થયું નથી..' ગુજરાતથી પ્રિયંકા ગાંધી ગર્જ્યા
દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે અને દરેક પાર્ટીઓ જોરશોરથી પ્રચાર કરી રહી છે. પહેલા તબક્કાનું મતદાન 19મી એપ્રિલે અને બીજા તબક્કાનું મતદાન 26મી એપ્રિલે પૂર્ણ થઈ ચૂક્યું છે. જ્યારે ગુજરાતમાં સાતમી મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે. જેને લઈને કોંગ્રેસના મહાસચિવ અને સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધીએ આજે (27મી એપ્રિલ) વલસાડ લોકસભા બેઠકથી ધરમપુરના દરબાર ગઢ કમ્પાઉન્ડમાં જાહેર સભા સંબોધી.
April 27, 2024 | 7:59 AM
ઈવીએમને નકારનારા બેલેટ લૂંટતા હતા - CM યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે જ્યારે પણ કોંગ્રેસ, સપા અથવા INDI ગઠબંધન સાથે સંકળાયેલા અન્ય પક્ષો ચૂંટણી હારી રહ્યા હોય છે, ત્યારે તેઓ EVM પર હારનો આરોપ લગાવવાનો પ્રયાસ કરે છે. જે લોકો આજે ઈવીએમને રિજેક્ટ કરી રહ્યા છે તે એ જ લોકો છે જેઓ બેલેટની ચોરી કરતા હતા.
April 27, 2024 | 7:37 AM
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જામકંડોરણામાં જનસભા સંબોધી
ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે જેને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જામકંડોરણામાં જનસભા સંબોધી હતી. અમિત શાહે સંબોધનમાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને ત્રીજી વખત પ્રચંડ બહુમતી સાથે વડાપ્રધાન બનાવીશું. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે દેશનું અર્થતંત્ર છેલ્લા 10 વર્ષમાં મજબુત થયું છે. રામ મંદિરનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતા જ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થયું.
April 27, 2024 | 7:30 AM
'વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતી નથી...નથી..નથી...' કોંગ્રેસના ઉમેદવારના બફાટથી વિવાદ છંછેડાયો
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે સુરતની બેઠક ગુમાવી છે અને આ બેઠકને લઈને કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી ચર્ચાના કેન્દ્રમાં છે ત્યારે હવે કોંગ્રેસ (Congress)ના વધુ એક નેતાએ વિવાદ ઉભો કરતું નિવેદન આપતા ગુજરાતનુ રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના નવસારી (Navsari)ના ઉમેદવારે એક સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને એવું નિવેદન આપ્યું કે વિવાદ ઉભો થયો છે.
Read ArticleApril 27, 2024 | 6:32 AM
'ભૂલ મારી છે તો વડાપ્રધાન મોદીનો વિરોધ કેમ?', ક્ષત્રિયોના દેખાવ સામે રૂપાલાએ વ્યથા ઠાલવી
લોકસભા 2024ની ચૂંટણીમાં બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે ત્રીજા તબક્કામાં મતદાન માટે રાજકીય પક્ષો પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે ત્યારે ગુજરાતમાં રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા (Parshaottam Rupala) સામે ક્ષત્રિય સમાજનો રોષ હજુ પણ યથાવત છે. રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણી અંગે અગાઉ બે વખત માફી માગી છે ત્યારે રૂપાલાએ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરતા ક્ષત્રિય સમાજ સામે ફરી એકવાર માફી માગીને કહ્યું હતું કે 'ભૂલ મારી છે તો વડાપ્રધાન મોદીનો વિરોધ કેમ?'
Read Article