Breaking News
હું BCCIનું અધ્યક્ષપદ છોડવાનો માંગતો નથી : શ્રીનિવાસન * * * spot-fixing : મયપ્પનને કોર્ટમાં રજૂ કરાયો * * * નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા બિહારમાં યજ્ઞ થયો * * * અમદાવાદઃ રૂ. 1 કરોડ 28 લાખની રોકડ, 1 કિલો સોના સાથે બુકી પકડાયો

Top News Story

Loading Articles please Wait...
    City News
  • Ahmedabad
  • Vadodara
  • Surat
  • Rajkot
  • Kutch
  • Kheda-Anand
  • North Gujarat
  • Bhavnagar
Loading Articles please Wait...
  • National
  • International
  • Business
  • Science & Tech
  • NRI News

Slide Show

Magazine

  • હોરાઈઝન - ભવેન કચ્છી
    Ravi Purti
    આપણનેઘણી વખત એમ થાય કે ફિલ્મી અને રમતજગતની દુનિયાની હસ્તીઓ કે પછી બીઝનેસ મેનથી માંડી રાજકારણીઓ અને જુદા જુદા ક્ષેત્રોની સફળ પ્રતિભાઓ નિષ્ફળતા છતાં હતાશ નથી થતી અને ફરી નવા પ્રોજેકટ તથા લક્ષ્યાંક સાથે કે જેમાં પછડાટ ખાધી હોય તેમાં જ ઝળકવા માટેનો જુસ્સો, બળ, ઉર્જા અને ઉમળકો કઇ રીતે પ્રાપ્ત કરતા હશે. યાદ રહે જે પ્રેરણા લેકચરો સાંભળવાથી કે સેમિનારોમાં જવાથી ના મળી શકે તે સફળ હસ્તીઓની જીવન દ્રષ્ટિને જોઇને કે તેમના વિશે વિચારીને મળતી હોય છે.
    More...
    More Magazine Articles...
    હોટલાઈન - ભાલચંદ્ર જાની
    Ravi Purti
    દસેક દિવસ પૂર્વે પોતાના કાકા સાથે દિલ્હીથી મુંબઈ આવી રહેલી પ્રીતિ રાઠી હજુ તો વાંદરા સ્ટેશન પર પગ મૂકે ત્યાં જ તેના પર ઓચિંતા કોઈક માથા ફરેલ યુવકે એસિડ ફેંક્યો. મહાનગર મુંબઈને પોતાની કર્મભૂમિ બનાવવા આવેલી આ કોડભરી કન્યા નર્સ તરીકેની નોકરી મળતાં મુંબઈ આવી હતી. પરંતુ એક ક્ષણમાં તેના આ સપના ચૂર ચૂર થઈ ગયા. આ તેજાબી હુમલામાં પ્રીતિએ તેની એક આંખ તો ગુમાવી જ. પરંતુ તેનો ચહેરો, છાતીનો હિસ્સો, ગરદન વગેરેની ત્વચા પણ બળી ગઈ. એટલું જ નહીં, તેજાબની ધુ્રમસેરો ગળામાં જતાં તેની શ્વાસનળી તથા અન્ન નળીને પણ નુકસા
    More...
    More Magazine Articles...
    એક જ દે ચિનગારી - શશિન્
    Ravi Purti
    એક વૈભવી મોલના ઉપર જવાના માળ માટેના એસ્કેલેટરનો ઉપયોગ કરવાને બદલે એક અમીર ગ્રાહકનો દીકરો પગથિયાં ચઢી ઉપર ગયો, એ જોઈ તેના પપ્પા ગુસ્સે થઈ ગયા. એમણે કહ્યું, 'ઈડિયટ, આપણા જેવા અમીર ઘરના દીકરાને આમ ઉપર જવા માટે પગથિયા ચઢવાનું શોભે ખરું? આપણા ઘરમાં તો ઉપરના બન્ને માળે જવા માટે પણ લિફટ છે. સામાન્ય માણસની જેમ વર્તતાં તને શરમ નથી આવતી?' દીકરાએ શાન્તિથી કહ્યું, 'પપ્પાજી, માફ કરજો, મારે એરિસ્ટોક્રેટિક ફેમિલીના પુત્ર તરીકે નથી જીવવું, સ્વાવલંબી યુવક તરીકે સામાન્ય માણસની જેમ જ જિંદગી પસાર કરવી છે.
    More...
    More Magazine Articles...
    નવાજૂની - ઉર્વીશ કોઠારી
    Ravi Purti
    માહોલ તો એવો જ હતો કે ઇમરાનખાનની તહેરિકે ઇન્સાફ પાર્ટી પાકિસ્તાનની ચૂંટણી જીતી જશે અને ઇમરાન દેશના વડાપ્રધાન બની જશે. તેમની રેલી અને સભાઓમાં લોકો ટોળાબંધ ઉમટી પડતાં હતાં. ઇમરાનખાન તેમને કહેતા હતા, 'હું તમારો કેપ્ટન ને તમે મારી ટીમ.' ભૂતપૂર્વ ક્રિકેટસ્ટાર ઇમરાનખાન આવું કહે તેનો એક સંદર્ભ હતોઃ પાકિસ્તાની ક્રિકેટટીમ ઇમરાનખાનની નેતાગીરી હેઠળ વર્લ્ડ કપ જીતી હતી. પાકિસ્તાનને ફરી એક વાર, આ વખતે સ્ટેડિયમની બહાર, સારા કેપ્ટનની તાતી જરૃર છે. ઇમરાનખાન એ કેપ્ટન બનવાનો વાયદો આપતા હતા. વાયદા તો એમના ઘણા હતા
    More...
    More Magazine Articles...
    ફિટનેસ - મુકુંદ મહેતા
    Ravi Purti
    સઃ હાર્ટ એટેક એટલે શું ? જ ઃ હૃદયને (એટલે કે હૃદયના સ્નાયુના કોઈભાગને) લોહીની નળીઓ દ્વારા ઓક્સીજનવાળુ લોહી મળતું ઓચિંતુ કોઈ અવરોધને કારણે બંધ થાય ત્યારે હાર્ટ એટેક કહેવાય. સ ઃ હાર્ટ એટેકથી લોકો આટલા બધા ડરે છે કેમ ? જ ઃ હાર્ટ એટેક માટે જો તાત્કાલિક સારવાર કરવામાં ના આવે તો મૃત્યુ થાય માટે લોકો ડરે છે ? સ ઃ હાર્ટ એટેક આવવાનું કારણ શું ? જ ઃ ચિત્ર જાુઓ. LCA એટલે લેફટ કોટોનરી આર્ટરીમાં નં. ૧ નીશાન છે
    More...
    More Magazine Articles...
  • RBI માટે આગામી સમય 'અગ્નિપથ' સમાન
    Business Plus
    રિઝર્વ બેંક માટે આગામી સમય અગ્નિપરીક્ષા સમાન પુરવાર થશે એક તરફ ઉંચા વ્યાજદરનો સળગતો પ્રશ્ન ઉભો જ છે ત્યાં વળી એપ્રિલ માસમાં સોનાની આયાતમાં ૧૩૮ ટકાનો જંગી વધારો થતા વ્યાપાર ખાધ ટોચની સપાટીએ પહોંચી ગઈ છે અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે સોનાની આયાતને કાબૂમાં રાખવા સરકાર અને મધ્યસ્થ બેંક દ્વારા શ્રેણીબદ્ધ પગલા ભરવામાં આવ્યા છે આમ છતાં આ મુદ્દો હલ થતો નથી. સોનાની આયાતના ઉંચા આંકડાની જાહેરાત થતા રિઝર્વ બેંકે ફરી એક વખત પગલા ભર્યા છે.
    More...
    More Magazine Articles...
    ફરી એકવાર ઉદ્ભવેલો રેટ-કટનો મુદ્દો
    Business Plus
    તાજેતરમાં જાહેર થયેલા એપ્રિલ માસના ફુગાવાના આંકડામાં જથ્થાબંધ ભાવાંક (ડબલ્યુ.પી.આઇ.) આધારિત મુખ્ય ફુગાવો નોંધપાત્ર રીતે ઘટીને ૪.૮૯ ટકા થયો છે જે છેલ્લા ત્રણ વર્ષની સૌથી નીચી સપાટી છે અને જે ધારણા મૂકાતી હતી તેનાથી પણ ઘણો નીચે છે. આમ, નવેમ્બર ૨૦૦૯ પછી અત્યાર સુધીના સમયગાળામાં પહેલી વખત ફુગાવો રિઝર્વ બેંકના ૫ ટકાના અનુકૂળ દરેથી નીચે આવતા નીચા વૃદ્ધિદર સામે ઝઝૂમી રહેલા અર્થતંત્રમાં સુધારો થવાની આશા વધુ પ્રબળ બની છે. આ વખતે જાહેર થયેલા ફુગાવાના આંકડામાં મહત્ત્વની બાબત એ છે કે ખાદ્ય ચીજો, બળતણ તથા ઉત
    More...
    More Magazine Articles...
    સોનાની આયાતનો ઉકળતો ચરૃ ઠરશે ખરો ?
    Business Plus
    અર્થતંત્રની નબળી વૃદ્ધિ અને સતત વધતી જતી ચાલુ ખાતાની ખાધ અને વેપાર ખાધથી સમગ્ર તંત્ર ચિંતિત બની જવા પામ્યું હતું. દેશમાં સોનાની માંગ હરહંમેશ માટે જળવાઈ રહેતા છેલ્લા કેટલાય સમયથી સોનાની આયાતમાં સતત વધારો થતો ગયો છે. જેની અર્થતંત્ર પર પ્રતિકૂળ અસર થવા પામી છે. આમ, સોનાની સતત વધતી આયાતને કાબુમાં લાવવા સરકારી તંત્ર દ્વારા તાજેતરના ભૂતકાળમાં જ તેની આયાત ડયુટીમાં વધારો કરવા સાથે દેશમાં સોનાની માગ ઘટે તે મુદ્દાને કેન્દ્રમાં રાખીને શ્રેણીબદ્ધ પગલા ભરવા છતાં એપ્રિલ માસમાં સોના ચાંદીની આયાત ૧૩૮ ટકા વધીને
    More...
    More Magazine Articles...
    પોન્ઝી સ્કીમો અને ચીટ ફંડોના ગળે ગાળિયો
    Business Plus
    દેશની નાણાંકીય સિસ્ટમ ઉપર હાલ બે મુદ્દાને લઈને દબાણ આવવા સાથે ખતરો ઉભો થવા પામ્યો છે. આ બે મુદ્દામાં પ્રથમ મુદ્દો છે મની લોન્ડરિંગના આક્ષેપો અને બીજો મુદ્દો છે ચીટ ફંડો- પોન્ઝી સ્કીમ થકી આચારાતા કૌભાંડ. આ બે મુદ્દા અલગ છે પણ તેનો હેતુ એક જ છે જે સરવાળે સમગ્ર નાણાંકીય સિસ્ટમ, દેશના અર્થતંત્ર માટે નકારાત્મક પરિબળ જ પુરવાર થાય છે. ગત સપ્તાહે આપણે મની લોન્ડરિંગ અંગેના આક્ષેપો અંગે વિસ્તારપૂર્વક ચર્ચા- વિચારણા કરી હતી આ વખતે આપણે ચિટ ફંડો- પોન્ઝી સ્કીમ અંગે થોડી ચર્ચા કરીએ.
    More...
    More Magazine Articles...
    FII v/s શેરબજાર
    Business Plus
    ફોરેન ઇન્સ્ટીટયુશનલ ઇન્વેસ્ટર્સ-FII વિદેશી નાણા સંસ્થાઓ આપણા શેરબજારોની બેતાજ બાદશાહ બની ગઈ છે. તેમની ચાલે ચાલનાર સુખી અને સામનો કરનાર વર્ગ દુઃખી દુઃખી થઈ જાય છે એટલી હદ સુધી તેમનું જાદૂ ચાલે છે કે ટીવી પરની બિઝનેસ ચેનલોની ચર્ચામાં પણ એફઆઈઆઈ શું કરે છે? શું માને છે? કેવા વ્યૂહ અપનાવે છે? ક્યાંથી રોકાણ પ્રવાહ આવી રહ્યો છે? કેવા પ્રકારનાં વિદેશી ફંડો ભારતમાં રોકાણ કરી રહ્યા છે? જેવી બાબતો સતત ચર્ચામાં કેન્દ્ર સ્થાને હોય છે. અખબારોનાં પાનાઓમાં પણ તેમની દૈનિક ખરીદ-વેચાણની વિગતો હેડલાઈન્સમાં સ્થાન પ
    More...
    More Magazine Articles...
  • બળબળતી ગરમીમાં માથાની કાળજી
    Sahiyar
    ઉનાળાના તડકામાં ઘરથી બહાર નીકળતી વ્યક્તિ જો એમ વિચારતી હોય કે તેના કેશ ધોમધખતા તાપથી તેના માથાનું રક્ષણ કરશે તો તે તેની સૌથી મોટી ભૂલ છે. તમારા વાળ ગમે તેટલા ઘટ્ટ હશે તોય તે તમારા માથાને સૂર્યના પારાજાંબલી કિરણોથી નહીં બચાવી શકે. તેથી તડકામાં ઘરથી બહાર નીકળો તો માથા પર કેપ પહેરો, સ્કાર્ફ બાંધો કે પછી સ્ટોલ વીંટાળી દો. ત્વચા નિષ્ણાતો તો એટલે સુધી કહે છે કે જો તમારા વાળ પાંખા હોય કે તમારા માથે વત્તીઓછી ટાલ હોય ત્યારે તો તમારે માથા પર કાંઈ પણ પહેર્યા વિના તડકામાં બહાર જવું જ ન જોઈએ.
    More...
    More Magazine Articles...
    બફારાથી બચવાના ઉપાય
    Sahiyar
    મનુષ્યના શારીરિક, માનસિક અને સામાજિક સ્વાસ્થ્યનો વાતાવરણ સાથે ગાઢ સંબંધ હોય છે. મોસમનું બદલાવું એ કુદરતી સમતોલન માટે જરૃરી છે. ગરમ વાતાવરણ બે પ્રકારનું હોય છે. પહેલું, ગરમ શુષ્ક વાતાવરણ, જે રણપ્રદેશમાં અથવા ઉત્તર ભારતમાં ગરમીની શરૃઆતમાં જોવા મળે છે. અહીં ઉષ્ણતામાન ૩૫થી ૪૦ ડિગ્રી સેન્ટિગ્રેડ સુધી જઈ શકે છે. આવી ઋતુમાં પરસેવો વધુ થાય છે અને જલદીથી સુકાઈ પણ જાય છે. બીજા પ્રકારના વાતાવરણમાં ઉષ્ણતામાન ૩૫થી ૪૦ ડિગ્રી સેન્ટિગ્રેડ રહેતું હોય છે, પરંતુ ભેજનું પ્રમાણ ૭૫ ટકાથી વધુ હોય છે
    More...
    More Magazine Articles...
    અનાજ-કઠોળ અને મસાલાની સાચવણી
    Sahiyar
    દાળ, ચોખા, ઘઉં સીઝનમાં ભરાઈ ગયા પછી બદલતી મોસમનું ધ્યાન ન રાખવામાં આવે, સમયસર સૂકવવામાં ન આવે તો અનાજ જલદીથી ખરાબ થઈ જાય. તેમાં ધનેડા અને બીજી જીવાત પડે છે. આ રીતે મોંઘા ભાવનું અનાજ નાછૂટકે લાચારીથી ફેંકી દેવું પડે છે. આ માટે જો નીચે મુજબના ઉપાયો કરવામાં આવે તો અનાજને નુકસાન થતું બચાવી શકાય છે. સહુથી પહેલા અનાજ સારામાંનું ખરીદો એ સિવાય સીઝનમાં જ ખરીદવાનંુ રાખો. સીઝનમાં પણ અનાજ નવું જ ખરીદો. ગયા વરસનું જૂનું હોય એવું અનાજ
    More...
    More Magazine Articles...
    મોંઘવારીમાં પિસાતી મધ્યમવર્ગની
    Sahiyar
    'મોંઘવારી' નામના ચાર અક્ષરના શબ્દએ આજે મધ્યમ અને ઉચ્ચ મધ્યમવર્ગની ઊંઘ હરામ કરી નાંખી છે જીવનજરૃરી વસ્તુઓના કુદકે ને ભૂસકે વધતા ભાવે ગૃહિણીને માટે ઘર ચલાવવાનું મુશ્કેલ બનાવી દીધું છે. મધ્યમવર્ગની ગૃહિણી આવકમાંથી બે પૈસાની બચત કરવાને બદલે દર મહિને પોતાની જરૃરી ખરીદીઓ ઉપર પણ કાપ મૂકતી જાય છે. જ્યારે ઘરમાં આ કાપ મૂકાયેલી વસ્તુની માગણી કરવામાં આવે છે ત્યારે તે બિચારી મોેઢું વકાસીને ઊભી રહે છે. આ પરિસ્થિતિમાં ઘણી મધ્યમવર્ગની ગૃહિણીઓએ ઘરની
    More...
    More Magazine Articles...
    આરોગ્ય ગંગા
    Sahiyar
    મારી પત્નીને બહુ જ બ્લીડીંગ થાય છે મારી પત્નીની બે વર્ષ પહેલા મીસ ડીલીવરી થઈ ગઈ હતી. પછી માસિક ટાઈમમાં બહુ જ બ્લીડીંગ થાય છે. વચ્ચે દવા લીધી તો છ મહિનાથી બરાબર હતું પણ હાલમાં એક વર્ષથી તકલીફ છે. ડૉક્ટર કહે છે કે ગર્ભાશયમાં કોઈ તકલીફ નથી. એક વર્ષથી દવા લઈએ છીએ પણ કોઈ ફાયદો થતો નથી. તેની ઉંમર ૩૫ વર્ષની છે તેના માટે કઈ સારવાર લેવી તેના વિષે સંદેશમાં જવાબ આપવા વિનંતિ. સોનોગ્રાફી પણ કરાવેલ છે એમાં કોઈ ક્ષતિ દેખાતી નથી. દેશી દવા કરી જેથી બે મહિને રાહત થઈ. - રવિ - કચ્છ
    More...
    More Magazine Articles...
  • સંવેદનાના સૂર - નસીર ઇસમાઇલી
    Shatdal
    ખોફર સુપારી! પ્રોફેશનલ ક્લિર! તમારું આ નામ જ સાંભળનારનું કાળજુ કંપાવી દેવા માટે પૂરતું છે. તમારી કાળા સીસમમાંથી કોતરી હોય એવી કાળઝાળ ઊંચી કદાવર કાયા, જખ્મોથી ચહેરાયેલો પથ્થરી કોચડાયેલો કરડો ચહેરો, અને મરચું પાયેલી ધારદાર આંખો હજી પુલિસ રેકોર્ડની બહાર છે, પણ એ તમે પૂરી કરેલી સત્તાવીસ સફળ સુપારીઓનો બોલતો પુરાવો છે. માત્ર અંધારી આલમ જ નહીં, જેને તમારી 'સુપારી-સર્વીસ'ની કવચિત જરૃર પડે છે, એ ઊજળી ધનિક
    More...
    More Magazine Articles...
    ઘરને ઝટપટ રેનોવેટક કરવાના સોંઘા-સુંદર-ટકાઉ વિકલ્પો
    Shatdal
    આજની તારીખમાંમ ઘરની સજાવટમાં જે વરાઈટી જોવા મળે છે એટલી અગાઉ ક્યારેય જોવા નથી મળી. ફ્લેટ રેનોવેટ કરવાનું હોય કે નવા ઘરમાં રહેવા જવાનું હોય, તેને આકર્ષક બનાવવા કાંઈકેટલાય વિકલ્પો બજારમાં મળી રહે છે. તેમાં એવાં વિકલ્પોે પણ હાજર છે જેને કારણે રેનોવેશનનું કામ ઝડપથી પૂરું કરી શકાય અને તે ખૂબ સુંદર તેમ જ અનોખું પણ લાગે. છેલ્લાં થોેડા સમયથી ગૃહ સજાવટમાં વૂડન ફ્લોરિંગનો મહિમા વધવા લાગ્યો છે. પરંતુ કાષ્ટની ફરસ લગાવતી વખતે ચોક્કસ બાબતોનું ધ્યાન રાખવું અત્યંત આવશ્યક છે.
    More...
    More Magazine Articles...
    હોરાઇઝન - ભવેન કચ્છી
    Shatdal
    ''બે-ત્રણ સડેલા ફળો હોય એટલે આખી ટોપલીના ફળો સડેલા છે તેમ ના કહી શકાય. એમ તો ઓલિમ્પિકસના મેડલ વિજેતાઓ પણ ડ્રગ કૌભાંડમાં પકડાય જ છે ને. ગ્લેમર, મનોરંજન અને મસ્તી આઈપીએલમાં જરૃર છે પણ તે ગૂનો થોડો છે? ઝવેરાતની દુકાનના ચળકતા કિંમતી ઘરેણા જોઇને તેના પર કોઇ લૂંટ ચલાવે એટલે તે દુકાનનો માલિક થોડો ગુનેગાર કહેવાય?'' આઈપીએલના કોમેન્ટેટર રવિ શાસ્ત્રી ક્રિકેટ વિવેચક ઉપરાંત હોનહાર વકિલ જેવા પણ છે તેની હમણાં ખબર પડી. શ્રીસંત એન્ડ કંપનીના સટ્ટાકાંડના પર્દાફાશના પગલે આઇપી
    More...
    More Magazine Articles...
    ક્રાઇમ વોચ - જયદેવ પટેલ
    Shatdal
    ગુજરાતના પાટનગરની વીસ વર્ષિય યુવતી માધવી તથા અમદાવાદ શહેરના મણીનગર વિસ્તારના ચાલીશ વર્ષીય માધવ નામધારી સખ્શ વચ્ચે મોબાઇલ ફોન તથા ફેસબુકના માધ્યમથી પાંગરેલા 'પ્લુટોનિક'પ્રેમના આખરી અંજામની હકિકતનો પર્દાફાશ કરતી તથા સાંપ્રત સમાજ માટે ગંભીર વિચારવાનો તકાજો કરતી કથા પ્રસ્તુત કરી છે. માત્ર મોબાઇલી મહોબતના સથવારે સાવ અપરિચિત સખ્શ સાથે સુખની શોધમાં ઘરબાર છોડીને હાલી નીકળેલી માધવી આજે પોતાનું સર્વસ્વ માધવને સમર્પિત કરી દીધા બાદ બદહાલી તથા બદનામી વચ્ચે એકાંતમાં પોતાની બદનશીબી પ્રત્યે આંસુ
    More...
    More Magazine Articles...
    રણને તરસ ગુલાબની - પરાજિત પટેલ
    Shatdal
    જોયા ! આ અમારા જમાઇ છે. છે ને નંબર વન ? 'એ તો દેખાય જ છે !' 'રેવન્યુ ખાતામાં હેડકલાર્ક છે. કામકાજ હોય તો કહે જો. ગમે તેવું અઘરું કામ હશે તોય ચપટીમાં કરી નાખશે. કામ કરવામાંય નંબર વન છે.' 'વાહ ! આવા જમાઇ તો દીવો લઇને શોધવા નીકળીએ તોય ન મળે. જમાઇ અહી જ રહે છે ?' 'શુ થાય ? દીકરી કહે છે ઃ હું સાસરીના ગામડે નહિ જાઉ..મને નહિ ફાવે...એટલે જમાઇ અહી જ રહેવા આવી ગયા.'
    More...
    More Magazine Articles...
  • ઓનલાઇન શોપિંગ શહેરી ગ્રાહક માટે બેસ્ટ ઓપ્શન
    Dharmlok
    આજે ભારતના કોઇપણ ખૂણામાં બેસીને ઓનલાઇન શોપિંગ કરી શકાય તેવી વ્યવસ્થા છે. ભારતના રિટેલરો અલગ અલગ શહેરમાં પોતાના શોપ ખોલવાનું શક્ય નથી એટલા માટે ઓનલાઇન પ્રોડક્ટનું વેચાણ કરતા હોય છે. આ વ્યવસ્થાથી ગ્રાહક પણ ઓનલાઇન ખરીદી કરવાનું પસંદ કરે છે. કારણ કે જ્યારે મનગમતી વસ્તુ માઉસની એક ક્લિકે ઘરે બેઠા જ મળી જતી હોય તો શા માટે દુકાનો અને મોલના પગથિયાં ચડીએ. આ પ્રકારે દરેક વિચારે છે. આથી આજે રિટેલરો પણ પોતાની એક્સપેન્સીવ પ્રોડક્ટને ઓનલાઇન મૂકી દેતાં હોય છે. ઓનલાઇન શોપીંગ તેજીથી માર્કેટમાં
    More...
    More Magazine Articles...
    બેકવર્ડ વોકિંગ મગજની કાર્ય ક્ષમતા વધારે છે
    Dharmlok
    ઊંધા ચાલવું એ બાળકોની રમત કે યુવાનોની મસ્તી માત્ર નથી, નોર્મલ વોકિંગ કે જોગિંગમાં જે કેલરી બળે છે એનાથી અનેક ઘણી કેલરી બેકવર્ડ વોકિંગ અને જોગિંગમાં બળે છે. એટલું જ નહી ઊંધા ચાલવા બાબતે એવું કહેવાય છે કે ૧૦૦ ડગલા ઊંધા ચાલવું એ ૧૦૦૦ ડગલા સીધા ચાલવા બરાબર હોય છે. બેકવર્ડ વોકિંગ અને જોગિંગ જાપાનમાં બહું પોપ્યુલર છે. રેટ્રો રનિંગ યુરોપમાં પણ ઘણાં વર્ષોથી ફેમસ છે. કેલરી બાળવા સાથે બેલેન્સિંગ સ્કિલ ધારદાર કરવાનો આ ટ્રેન્ડ હવે દુનિયાભરમાં પોપ્યુલર થઇ રહ્યો
    More...
    More Magazine Articles...
    અમરનાથ યાત્રા
    Dharmlok
    ચાર ધામની યાત્રા શરૃ થઈ ગઈ છે જ્યારે અમરનાથ યાત્રા પણ ૨૮ જુનથી શરૃ થશે. અમરનાથ ધામમાં અનએ યાત્રાના માર્ગ પર સફાઈ ચાલી રહી છે. અમરનાથ યાત્રા ૨૧ ઓગસ્ટ સુધી ચાલશે એવા અહેવાલો છે કે આ વખતે બાબા બર્ફાનીનું શિવલિંગ ૧૬ ફૂટ ઊંચું છે. અહીં બાબાના શિવલિંગની તસવીર અપાઈ છે. અમરનાથના પદયાત્રાનો માર્ગ હર-હર મહાદેવના નારાથી ગુંજી
    More...
    More Magazine Articles...
    નવતર અભિગમ
    Dharmlok
    આપણા શરીરમાં જે કાંઈ સારા કે ખરાબ પરિવર્તનો જોવા મળે છે તેનો આધાર મન ઉપર રહેલો છે. આપણા શરીરમાં તથા મનમાં જે કાંઈ પણ ખરાબ બની રહ્યું છે તેને આપણું અર્ધજાગૃત મન (Subconscious mind) જ ઉકેલી (Solve) કરી શકે તેમ છે. આપણા મનમાં કાંઈ પણ સમસ્યા (પ્રોબ્લેમ) હોય તો તે ત્યાં જ સુધી જઈ ન શકે જ્યાં સુધી તેને કાઢી નાખવામાં નથી આવતી. એનો અર્થ એવો થયો કે અર્ધજાગૃત મન (Subconscious mind) માં જે ક્રિયા ચાલતી હોય તેને ફેરવી નાંખવાની મનની જે હાલ સ્થિતિ છે તે બદલી શકાય છે. સૌથી મહત્ત્વની યાદ
    More...
    More Magazine Articles...
    વિમર્શ - ચંદ્રહાસ ત્રિવેદી
    Dharmlok
    આજની વિકાસની સંસ્કૃતિએ આપણા માટે એક મોટો પ્રશ્ન ઊભો કરી દીધો છે અને તે છે તનાવનો. થોડાક સમય સુધી તનાવ છૂપો રહ્યો હતો કારણ કે તે વિકાસની પાછળ આવતો હતો. પણ હવે તો તે ખુલ્લેઆમ આપણી સામે આવીને ઊભો રહ્યો છે. તેને હલ કરવા માટે મનોવિજ્ઞાાનીઓ મથી રહ્યા છે પણ તે તેમને મચક આપવાને બદલે દિવસે દિવસે વકરતો જાય છે. જો આપણે તનાવને સંભાળી નહિ શકીએ તો એક દિવસ આપણને ભરખી જશે અને વિકાસનાં ફળ આપણા માટે ઘણાં વાંધાં થઈ પડશે. તનાવ એ આજના
    More...
    More Magazine Articles...
  • વિદ્યા બાલન એકસાથે ૧૬ દક્ષિણ ભારતીય ફિલ્મો ઝૂંટવી લેવામાં
    Chitralok
    બોલીવૂડમાં આજે વિદ્યા બાલને જે સ્થાને હાંસલ કર્યું છે ત્યાં પહોંચવાનું કાચીપોચી અભિનેત્રીનું કામ નથી. સશક્ત નારીપ્રધાન ફિલ્મોને એક ઊંચા આયામ પર લઈ જનાર વિદ્યા બાલન આજે ફિલ્મ સર્જકોની માનીતી અભિનેત્રી બની ગઈ છે. 'કહાની' અને 'ધ ડર્ટી પિકચર્સ'ની તેની લાજવાબ ભૂમિકાઓ કોણ ભૂલી શકે? આજે તે બોલીવૂડમાં પ્રથમ હરોળનું સ્થાન ભોગવે છે, તોય તેને તેનો જરાય ઘમંડ નથી. તે કહે છે કે ઘણાં લોકોને એમ લાગે છે કે મારું નામ બોલીવૂડની ટોપ-૧૦ અદાકારાઓમાં છે. પણ હું આ વાત નથી માનતી. વાસ્તવમાં હું અન્ય કોઈપણ અભિનેત્રી સાથે
    More...
    More Magazine Articles...
    સંજય દત્તને ૧૯૯૩ના બોમ્બબ્લાસ્ટ્સના પીડિતો કદી માફ કરી શકે ખરા?
    Chitralok
    સંજય દત્તના ગેરકાયદે હથિયારો રાખવાના ગુના નીચે લીટી દોરી સુપ્રીમ કોર્ટે પાંચ વરસની સજા ફટકારી ત્યારથી એક્ટરને સજામાંથી માફી અપાવવા એના મિત્રો તરફથી એક સમૂહગાન ચલાવાયું હતું. સંજુબાબા ફ્રેન્ડ્સ ક્લબ અને સંજુબાબા ફેનક્લબના લોકો એક જ ગાણું ગાતા હતા કે છેલ્લા ૨૦ વરસમાં દત્તે ઘણું સહન કર્યું છે, પ્રાયશ્ચિતના આંસુએ એને ઘણો બદલી નાખ્યો છે અને એ નરગીસ તથા સુનીલ દત્ત જેવી મહાન વિભૂતિઓનો પુત્ર છે. આ બધુ જોતા સરકારે એને સજામાંથી માફી આપવી જોઈએ. જસ્ટિસ (નિવૃત્ત) માર્કેન્ડેય કાત્જુ જેવી સમ્માનીય વ્યક્તિએ મહા
    More...
    More Magazine Articles...
    અજય દેવગણ કાજોલ સાથેનાં ૧૫ વરસના સાથનાં  સંભારણાં વાગોળે છે
    Chitralok
    અજય દેવગણ આજકાલ સમાચારમાં છે. 'બોલ બચ્ચન' તેમજ 'સન ઓફ સરદાર' જેવી તેની ફિલ્મો રૃા.૧૦૦ કરોડની ક્લબમાં સામેલ થઈ છે. જ્યારે તેની ફિલ્મ 'હિંમતવાલા' બોક્સ ઓફિસ પર ઊંધે માથે પટકાઈ હતી. પરંતુ, અજય ભૂતકાળ ભૂલીને આગળ વધી ગયો છે. એક પછી એક ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત અજયને તેના પરિવાર સાથે વેકેશન મનાવવાનો સમય મળતો નહોવાથી તે કાજોલ અને તેના સંતાનોને તેના લોકેશન પર બોલાવીને તેમની સાથે સમય પસાર કરે છે. અજય અને કાજોલના લગ્નને ૧૫ વરસ થઈ ગયા છે.
    More...
    More Magazine Articles...
    સની લિઓન નર્સ બનવા માગતી કરણજીત કૌર વોહરા
    Chitralok
    ભારતના હિમાચલ પ્રદેશમાં જન્મીને કેલિફોર્નિયામાં ઉછરેલી એક અત્યંત ખૂબસુરત છોકરીએ રિયાલિટી શો 'બિગ બૉસ'માં એન્ટ્રી લીધી ત્યારે બહુ ઓછા લોકો તેના વિશે જાણતા હતા. પણ તેનું સૌંદર્ય અને તેનો શિષ્ટાચાર જોઈને તે બધાને ગમવા લાગી હતી. આ યુવતી એટલે બીજું કોઈ નહીં પણ પોર્ન સ્ટાર સની લિઓન. હા, તે 'બિગ બૉસ'માં ઝપાટાભેર છવાતી ગઈ તેમ તેમ ફિલ્મી સામયિકોમાં અને અખબારોમાં તેના વિશે લખાવા લાગ્યું. 'બિગ બૉસ'ના ઘરના અન્ય સભ્યો તેને કહેવા લાગ્યાં હતાં કે બહાર નીકળીને તું બૉલીવૂડમાં નસીબ અજમાવી જોજે. તને ચોક્કસ કામ મળી
    More...
    More Magazine Articles...
    રિચા ચઢ્ઢા સેક્સ રેકેટિયર સોનુ પંજાબી બનીને ત્રાટકશે આગામી ફિલ્મમાં
    Chitralok
    તમે ઈચ્છયું હોય તેના કરતા ઘણું વધારે તમને અનાયસે મળી જાય તેને કિસ્મત કહેવાય. અને બૉલીવૂડ અભિનેત્રી રિચા આવી જ ભાગ્યશાળી છે. 'ઓયે લકી લકી ઓયે' માં કામ કર્યા પછી તેને 'ગેંગ્સ ઓફ વાસેપુર'માં કામ મળ્યું. હજી તો આ ફિલ્મો આવી ત્યાં રિચાના હાથમાં 'ફક્રી', 'તમંચે', 'ઈશ્કવેરા' અને 'રામ લીલા' જેવી ફિલ્મો આવી પડી. આ બધી ફિલ્મો આ વર્ષમાં જ રજૂ થવાની છે. મહત્ત્વની વાત એ છે કે આ બધી ફિલ્મોમાં અભિનેત્રીએ જુદા જુદા પ્રકારની ભૂમિકા ભજવી છે. મઝાની વાત એ છે કે રિચાએ અભિનય કારકિર્દીને ક્યારેય ગંભીરતાથી નહોતી લીધી.
    More...
    More Magazine Articles...
  • ટ્રીગન એમ્પાયર ભાગ - 32
    Zagmag
    કટોકટી તમામની કસોટી કરતી હતી ચિંતા! મોત જિંદગી હતી જિંદગી મોત હતું ટ્રીગોનો ભાઈ બ્રેગ ચિંતામાં હતો, સાથમાં પરમ અનુભવી પેરિક....!
    More...
    More Magazine Articles...
    દીવાદાંડીના ફ્રેનલ લેન્સ
    Zagmag
    સામાન્ય લેમ્પ અને ટયુબલાઇટ વિગેરે ચારે તરફ પ્રકાશ પાથરે છે. પરંતુ દરિયાકિનારે દીવાદાંડીના ટાવર પરની લાઇટ દરિયામાં દૂર દૂર સફર કરતા જહાજોને માર્ગદર્શન આપવા પ્રકાશનો એક લાંબો શેરડો દૂર સુધી ફેંકે છે. દીવાદાંડી કે લાઇટહાઉસ અને ટેલિસ્કોપનું વિજ્ઞાાન એક સરખું છે. ટેલિસ્કોપ દૂરથી આવતા પ્રકાશના કિરણોને વાળીને એક સ્થાને એકઠાં કરી ઇમેજ બનાવે છે. જ્યારે લાઇટહાઉસ પોતાનામાંથી પેદા થયેલ પ્રકાશના કિરણને શક્તિશાળી બનાવી શેર રૃપે દૂર સુધી મોકલે છે.
    More...
    More Magazine Articles...
    કિલ્લાની બહાર કેવી રીતે નીકળાય?
    Zagmag
    એક મોટું નગર હતું. તેને ચારે તરફ મોટો કિલ્લો હતો. તે નગરમાંથી બહાર જવા આવવા માટે ફક્ત એક જ દરવાજો હતો. એક વખત તે નગરમાં કોઈ સુરદાસ (અંધ) માણસ જઈ ચડયો. તે નગરમાંથી વારંવાર બહાર નીકળવા માટે પ્રયત્નો કર્યા કરે. પરંતુ બહાર નીકળી જ ના શકે. કારણ કે તે અંધ હતો. તેથી દરવાજો તેને દેખાતો ન હતો. તેથી તે બહાર નીકળવા માટેની સલાહ લેવા માટે કોઈને શોધતો હતો. તેમાં તેને એક સંત મળી ગયા. સંતે ઉપાય બતાવ્યો કે, 'તારે બહાર નીકળવું હોય તો તું એક કામ કર. આ નગરને ફરતે જે કિલ્લો છે તેની દીવાલે-દીવાલે હાથ દઈને
    More...
    More Magazine Articles...
    ભગવાન બુદ્ધ - ૨
    Zagmag
    મહેલની બહાર પહેલીવાર નીકળેલા સિદ્ધાર્થે એક વૃદ્ધ જોયો. બીજે દિવસે સિદ્ધાર્થ મહેલની બહાર ફરવા નીકળ્યો ત્યારે તેને એક રોગીષ્ઠને જોયો.
    More...
    More Magazine Articles...
    'જેની પાસે જે હોય, તે પ્રગટ થાય !'
    Zagmag
    એક વાર સ્વામી દયાનંદ સરસ્વતી ગંગા નદીના કિનારે ટહેલતા હતા અને તેમની સાથે એમના મંડળના સાધુ સંતો પણ હતા. અચાનક તે વખતે એક તામસી અને ક્રોધી તપસ્વી ત્યાં આવી ચઢયો અને વિના કારણે સ્વામી દયાનંદ ઉપર ગાળોનો વરસાદ વરસાવવા લાગ્યો. સ્વામીજી તો આ પાગલ લાગતા બાવાની ગાળોનો વરસાદ ચૂપચાપ એવી રીતે ઝીલતા હતા કે જેવી રીતે કોઇ સ્થિર ગિરિરાજ વરસાદની ધારાઓ ઝીલતા હોય. તેઓ બિલકુલ વિચલિત ન થયા. પરંતુ તેમની સાથે આવેલા સાધુઓથી આ સહન ન થયું.
    More...
    More Magazine Articles...