માત્ર દૂધ જ નહિ પરંતુ આ ફળોથી પણ દૂર થાય છે કેલ્શિયમની ઉણપ.
શરીરને સ્વસ્થ રાખવા માટે ઘણા પ્રકારના પોષક તત્વોની જરૂર પડે છે. આવી સ્થિતિમાં, દરરોજ વિટામિન અને મિનરલ્સથી ભરપૂર ખોરાક લેવો મહત્ત્વપૂર્ણ છે.
કેલ્શિયમ પણ શરીર માટે જરૂરી પોષક તત્વોમાંનું એક છે. કેલ્શિયમ આપણા હાડકાં અને દાંતને મજબૂત બનાવવા માટે જરૂરી માનવામાં આવે છે.
એટલું જ નહીં, કેલ્શિયમ હૃદય અને શરીરના સ્નાયુઓ માટે પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તે શરીરમાં લોહીના ગંઠાવા દેતું નથી.
કેલ્શિયમ શરીરના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેની ઉણપ શરીરમાં હાઈપોગ્લાયકેમિઆ અને ઓસ્ટીયોપોરોસિસ જેવા રોગોનું જોખમ વધારે છે.
કેલ્શિયમની ઉણપને પૂરી કરવા માટે બજારમાં ઘણા બધા સપ્લીમેન્ટ્સ ઉપલબ્ધ હોય છે, પરંતુ તમે તમારી ડાયટથી પણ શરીરમાં કેલ્શિયમની ઉણપને પણ પૂરી કરી શકો છો.
મોટાભાગે ડેરી પ્રોડક્ટ્સમાં કેલ્શિયમનું પ્રમાણ વધુ હોય છે, પરંતુ અમુક ફળ અને શાકભાજીમાં પણ કેલ્શિયમની માત્રા જોવા મળે છે.
ઓરેન્જને વિટામિન સીનો ખૂબ જ સારો સ્ત્રોત માનવામાં આવે છે પરંતુ તેમાં કેલ્શિયમ પણ સારી માત્રામાં હોય છે.
અંજીરમાં પણ ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. 100 ગ્રામ અંજીરમાં 160 મિલિગ્રામ કેલ્શિયમ જોવા મળે છે.
કિવિને કેલ્શિયમનો ખૂબ સારો સ્ત્રોત પણ માનવામાં આવે છે. મેગ્નેશિયમની સાથે, તેમાં વિટામિન K પણ જોવા મળે છે, જે હાડકાના સ્વાસ્થ્ય માટે જરૂરી છે.