બપોરે જમ્યા પછી ઊંઘવું સ્વાસ્થ્ય માટે જોખમી છે! વધી શકે છે બીમારીનું જોખમ.
ઘણા લોકોના ઘરમાં બપોરે જમ્યા પછી ઊંઘી જવું એ સામાન્ય બાબત છે. લોકો જમ્યા પછી બપોરે 2 થી 4 વાગ્યાની વચ્ચે સૂઈ જતા હોય છે.
મોટાભાગે લોકો બપોરે ઊંઘ લીધા પછી ખૂબ જ સારું અને તાજગી અનુભવે છે, પરંતુ બપોરે સુવાની આડઅસર પણ છે.
જો તમે બપોરે 20 થી 30 મિનિટનો પાવર નેપ લો છો, તો તે સારું માનવામાં આવે છે કારણ કે તે તમને એનર્જી આપે છે અને તમે વધુ સારી રીતે કામ કરી શકો છો.
પાવર નેપ નહી પણ જો તમે બપોરે 2-3 કલાક સૂઈ જાવ છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
હાર્વર્ડ યુનિવર્સિટીના અભ્યાસ મુજબ, જે લોકો બપોરે પાવર નેપ કરતાં વધુ ઊંઘ લે છે તેમને ડાયાબિટીસ, હૃદય રોગ અને ડિપ્રેશનનું જોખમ વધી જાય છે.
અભ્યાસો દર્શાવે છે કે જે લોકો દિવસમાં વધુ ઊંઘે છે તેમને રાત્રે ઊંઘવામાં મુશ્કેલી પડે છે, જેના કારણે ક્રોનિક બીમારીનું જોખમ વધે છે. તેમજ જો તમને રાત્રે પૂરતી ઊંઘ ન મળે, તો તમે આખો દિવસ સુસ્તી અનુભવો છો.
આથીએ મહત્ત્વનું છે કે તમે તમારા દિવસના ઊંઘનો સમય ઓછો કરો અને તેને ફક્ત 20 થી 30 મિનિટના પાવર નેપ તરીકે લો.
દિવસ દરમિયાન માત્ર 20 મિનિટ માટે જ ઊંઘ લો છો, ત્યારે રાત્રે ઊંઘમાં તકલીફ થતી નથી.
જો તમને રાત્રે 7 થી 8 કલાકની ઊંઘ લેવા છતાં પણ દિવસે ઊંઘ આવતી હોય, તો તમારા ડૉક્ટર સાથે વાત કરો.