Utility

પૂરતી ઊંઘ પછી પણ શરીરમાં રહે છે થાક? આ સરળ ઘરેલુ નુસ્ખો મિનિટોમાં દૂર કરશે અસ્વસ્થતા

By GS Team
17 Sep 20262 mins read
TukuTouch Logo
દિવસભરના થાકથી પરેશાન છો? તો અપનાવો એક સરળ ઉપાય. રાત્રે સૂતા પહેલા નવશેકા પાણીમાં 100 ગ્રામ મીઠું નાખી, તેમાં 20 મિનિટ પગ બોળવાથી ઘણા ફાયદા થાય છે. આનાથી શરીરનો થાક દૂર થાય છે, સ્નાયુઓને આરામ મળે છે અને ગાઢ ઊંઘ આવે છે. એડીનો દુખાવો અને ફાટેલી એડીઓ માટે પણ આ ખૂબ ગુણકારી છે. ડાયાબિટીસના દર્દીઓ અને ઘા હોય તો ટાળવું.

Summarized by AI; it may make mistakes. Check important info

પૂરતી ઊંઘ પછી પણ શરીરમાં રહે છે થાક? આ સરળ ઘરેલુ નુસ્ખો મિનિટોમાં દૂર કરશે અસ્વસ્થતા

Epsom salt foot soak benefits: દિવસભરની ભાગદોડ અને કામના ભારણને કારણે શરીરનું થાકી જવું સામાન્ય છે. ઘણીવાર પૂરતી 7થી 8 કલાકની ઊંઘ લીધા પછી પણ બીજા દિવસે સવારે શરીરમાં થાક કે ઊર્જાની કમી અનુભવાતી હોય છે. જો તમે પણ આ પ્રકારની સમસ્યાથી પરેશાન છો, તો એક ખૂબ જ સરળ અને કારગર નુસ્ખો અજમાવી શકો છો. જેમાં રાત્રે સૂતા પહેલા નવશેકા પાણીમાં મીઠું નાખીને તેમાં થોડીવાર માટે પગ બોળીને રાખવાના ઘણા ફાયદા છે.

આ નુસ્ખો કેવી રીતે અજમાવવો?

  • સૌપ્રથમ એક ટબ અથવા બાલ્ટી લો જેમાં તમારા બંને પગ આરામથી સમાઈ શકે.
  • હવે તેમાં અડધું નવશેકું પાણી ભરો (ધ્યાન રાખો કે પાણી ખૂબ ગરમ ન હોવું જોઈએ).
  • આ પાણીમાં 100 ગ્રામ એપ્સમ સોલ્ટ (Epsom Salt) ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો.
  • એપ્સમ સોલ્ટ ખાવાનું સામાન્ય મીઠું નથી, પરંતુ તેને મેગ્નેશિયમ સલ્ફેટ કહેવામાં આવે છે. તે તમને કોઈપણ કરિયાણાની દુકાન કે ઓનલાઈન પ્લેટફોર્મ પર સરળતાથી મળી જશે.
  • જ્યારે પાણીમાં મીઠું સંપૂર્ણપણે ઓગળી જાય, ત્યારે તમારા પગને તેમાં 20 મિનિટ સુધી ડૂબાડીને રાખો.

મીઠાવાળા પાણીમાં પગ રાખવાના ફાયદા

  • થાક અને સોજામાં રાહત: આ નુસ્ખાથી શરીરનો થાક દૂર થાય છે અને સ્નાયુઓને આરામ મળે છે. જો તમારા પગમાં દુખાવો, સોજો કે જકડાઈ જતો હોય તો તેનાથી તરત જ રાહત મળે છે.
  • ગાઢ અને સારી ઊંઘ: જ્યારે શરીર સંપૂર્ણપણે રિલેક્સ થાય છે, ત્યારે ઊંઘ પણ સારી આવે છે. એપ્સમ સોલ્ટમાં રહેલું મેગ્નેશિયમ તણાવ પેદા કરનાર હોર્મોન 'કોર્ટિસોલ'ના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે, જેનાથી બીજા દિવસે તમે વધુ ફ્રેશ અને એક્ટિવ અનુભવો છો.
  • એડીના દુખાવામાં રાહત: જે લોકો આખો દિવસ ઊભા રહીને કામ કરે છે તેમની એડીમાં દુખાવો રહેતો હોય છે. મેગ્નેશિયમ યુક્ત આ પાણી એડીના દુખાવાને ઓછો કરવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે.
  • ફાટેલી એડીઓ માટે ગુણકારી: એપ્સમ સોલ્ટમાં સલ્ફર પણ હોય છે, જે ત્વચા પર હળવા એક્સફોલિઅન્ટ તરીકે કામ કરે છે. આનાથી પગની ડેડ સ્કિન સાફ થાય છે અને એડીઓ મુલાયમ બને છે.

કઈ બાબતોનું ધ્યાન રાખવું?

સૂવાના લગભગ એક કલાક પહેલા આ નુસ્ખો અજમાવવો વધુ ફાયદાકારક રહે છે. જો કે, જો તમારા પગની ત્વચા પર કોઈ જગ્યાએ કટ કે ખુલ્લો ઘા હોય, અથવા જો તમને ડાયાબિટીસની સમસ્યા હોય તો આ પ્રયોગ કરવાનું ટાળવું જોઈએ.