Surat

સુરતમાં રક્ષાબંધનના બીજા દિવસે કેમ ઉજવાય છે વાસી બળેવ? 88 વર્ષ જૂની આ કરુણ ઘટના જાણી હચમચી જશો

By GS Team
28 Aug 20261 min read
TukuTouch Logo
સુરતમાં 88 વર્ષ જૂની કરુણ ઘટના 'વાસી બળેવ' પરંપરા સાથે જોડાયેલી છે. 12 ઓગસ્ટ, 1938ના બળેવના દિવસે તાપી નદીમાં હોડી પલટી જતાં 80થી વધુ લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનાની યાદમાં કેટલાક મૂળ સુરતી પરિવારો બળેવના દિવસે ઉજવણી ન કરતા બીજા દિવસે 'વાસી બળેવ' ઉજવે છે. મોઢ વણિક, રાણા, ક્ષત્રિય સહિતના પરિવારોમાં આજે પણ આ પરંપરા જળવાઈ રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં રક્ષાબંધનના બીજા દિવસે કેમ ઉજવાય છે વાસી બળેવ? 88 વર્ષ જૂની આ કરુણ ઘટના જાણી હચમચી જશો

Why Surtis Celebrate Vasi Balev: The 1938 Tapi Boat Tragedy History | સુરતમાં બળેવ સાથે જોડાયેલી ‘વાસી બળેવ’ની પરંપરા પાછળ 88 વર્ષ જૂની કરુણ ઘટના જોડાયેલી છે. 12 ઓગસ્ટ, 1938ના રોજ બળેવના દિવસે તાપી નદીના ડક્કા ઓવારે મોટી સંખ્યામાં લોકો હોડીમાં નદી વિહાર માટે નીકળ્યા હતા. ક્ષમતા કરતાં વધુ લોકો સવાર થતાં હોડી તાપીમાં પલટી ગઈ હતી. આ ગોઝારી દુર્ઘટના માં 80થી વધુ લોકોનાં મોત થતાં સમગ્ર સુરત શોકમાં ગરકાવ થઈ ગયું હતું.

આ ઘટનાની કરુણ યાદને જીવંત રાખવા કેટલાક મૂળ સુરતી પરિવારોમાં બળેવના દિવસે ઉજવણી ન કરીને બીજા દિવસે બળેવ ઉજવવાની પરંપરા શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે. સમય જતાં આ પરંપરા વાસી બળેવ તરીકે ઓળખાવા લાગી. આજે પણ મોઢ વણિક, રાણા અને ક્ષત્રિય સહિતના કેટલાક પરિવારોમાં આ પરંપરા પેઢી દર પેઢી જળવાઈ રહી છે. આમ, ‘વાસી બળેવ’ સુરતીઓ માટે માત્ર તહેવારની તારીખ નહીં, પરંતુ 88 વર્ષ જૂની કરુણ સ્મૃતિ અને મૃતકોને શ્રદ્ધાંજલિ સાથે જોડાયેલી લાગણીસભર પરંપરા બની રહી છે.