'કલંક' સાથે શ્રેયસ અય્યરની કેપ્ટન્સીનો પ્રારંભ, સતત 5 મેચ ગુમાવનાર પ્રથમ ભારતીય કેપ્ટન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Shreyas Iyer’s Captaincy Hits Rock Bottom: ભારતીય ક્રિકેટ ટીમના નવનિયુક્ત T20I કેપ્ટન શ્રેયસ અય્યર માટે કેપ્ટનશિપની શરૂઆત અત્યંત નિરાશાજનક અને એક મોટા 'કલંક' સાથે થઈ છે. સૂર્યકુમાર યાદવ પાસેથી કેપ્ટનશિપ લીધા બાદ અય્યરની આગેવાની હેઠળ ભારતીય ટીમનું પ્રદર્શન ખૂબ જ નબળું રહ્યું છે. ઇંગ્લેન્ડ સામેની ચોથી T20I મેચમાં ભારતીય ટીમની હાર સાથે જ શ્રેયસ અય્યરના નામે એક એવો અનિચ્છનીય રેકોર્ડ નોંધાયો છે, જે અત્યાર સુધી કોઈ પણ ભારતીય કેપ્ટનના નામે નથી થયો. શ્રેયસ અય્યર ભારતીય T20I ટીમનો 15મો કેપ્ટન છે અને તે પોતાની કેપ્ટનશિપ હેઠળ સતત 5 T20I મેચ હારનારા ઇતિહાસનો પ્રથમ ભારતીય કેપ્ટન બની ગયો છે.
નબળી શરૂઆત અને ટીમનું કથળતું પ્રદર્શન
શ્રેયસ અય્યરે પોતાની કેપ્ટનશિપ કરિયરની શરૂઆત આયરલેન્ડ પ્રવાસથી કરી હતી, જ્યાં ટીમ ઇન્ડિયાને 0-2થી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ભારતીય ટીમ ઇંગ્લેન્ડ પ્રવાસે આવી હતી. આ પ્રવાસની પ્રથમ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી, પરંતુ તે પછીની ચારેય મેચોમાંથી 3 મેચ હારીને ભારત આ શ્રેણી પણ ગુમાવી ચૂક્યું છે. બ્રિસ્ટલ ખાતે રમાયેલી મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા શ્રેયસ અય્યરની 49 બોલમાં 4 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી બનેલી 80 રનની શાનદાર અર્ધસદીના જોરે 158 રન બનાવ્યા હતા. જોકે, ઇંગ્લેન્ડના હેરી બ્રુકના 35 બોલમાં 79 રન અને ફિલ સોલ્ટના 59 રનની મદદથી ઇંગ્લેન્ડે માત્ર 1 વિકેટ ગુમાવીને 37 બોલ બાકી રહેતા આ મેચ 9 વિકેટે જીતી લીધી હતી. આ જીત સાથે જ યજમાન ટીમે શ્રેણીમાં 3-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે.
ધોની અને કોહલીના રેકોર્ડ તૂટ્યા
શ્રેયસ અય્યર પહેલા એમ એસ ધોની એકમાત્ર એવો ભારતીય કેપ્ટન હતો જેની કેપ્ટનશિપ હેઠળ ભારત સતત 4 મેચ હાર્યું હોય. ધોની સાથે આવું બે વાર (વર્ષ 2009માં અને વર્ષ 2014-15 દરમિયાન) થયું હતું. જોકે શ્રેયસ અય્યરે હવે સતત 5 હાર સાથે આ અનિચ્છનીય રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
આ ઉપરાંત, કેપ્ટન તરીકે પોતાની પ્રથમ 5 T20I મેચ હારવા માટે શ્રેયસ અય્યરે સૌથી ઓછી માત્ર 6 મેચો લીધી છે. આ મામલે તેણે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો છે. વિવિધ ભારતીય કેપ્ટનોને પોતાની પ્રથમ 5 T20I મેચ હારવા માટે કેટલી મેચો રમવી પડી હતી તેના આંકડા નીચે મુજબ છે:
6 મેચ - શ્રેયસ અય્યર 12 મેચ - વિરાટ કોહલી 15 મેચ - એમ એસ ધોની 16 મેચ - હાર્દિક પંડ્યા 31 મેચ - રોહિત શર્મા 31 મેચ - સૂર્યકુમાર યાદવ
મેચ બાદ બનેલા અન્ય શરમજનક રેકોર્ડ્સ
બ્રિસ્ટલના મેદાન પર રમાયેલી આ મેચમાં હારની સાથે ભારતીય ટીમના નામે બીજા પણ કેટલાક નબળા રેકોર્ડ નોંધાયા છે:
- ભારત પ્રથમ વખત ઇંગ્લેન્ડ સામે 2 કે તેથી વધુ મેચોની T20I શ્રેણી હાર્યું છે.
- વર્ષ 2019 પછી ભારત ઇંગ્લેન્ડ સામે પોતાની પ્રથમ દ્વિપક્ષીય શ્રેણી હાર્યું છે.
- વર્ષ 2019 પછી ભારતીય ટીમ પહેલીવાર સતત બે T20I શ્રેણી હારી છે.
- છેલ્લા 27 વર્ષમાં પહેલીવાર ભારતને બ્રિસ્ટલના મેદાન પર હારનો સામનો કરવો પડ્યો છે, જ્યાં અત્યાર સુધી ભારતનો દબદબો હતો.









